રાજ્યના ચર્ચિત બીટકોઈનકેસમાં શરૂઆતમાં તબક્કામાં શૈલેષ ભટ્ટ પાસે કરોડોના બીટકોઈન હોવાનું જાણતા તેના મિત્ર કિરીટ પાલડિયાએ ગાંધીનગર સીબીઆઈમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ નાયર સાથે મળીને શૈલેષ ભટ્ટ પાસેથી નાણાં પડાવવાનો કારસો રચ્યો હતો. તપાસ દરમિયાન શૈલેષ ભટ્ટે સુરતના ધવલ માવાણીને ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી રૂ.150 કરોડના બીટકોઈન પડાવી લીધાનું બહાર આવતા શૈલેષ ભટ્ટ ફરાર થઈ ગયો હતો.
આંગડિયાથી શૈલેષે સુનિલને રૂપિયા પહોંચાડ્યા હતા
સુનિલ નાયરે 7 ફેબ્રુઆરી, 2018ના રોજ સાંજે 5-47 કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસે આવવા કહ્યું હતું. શૈલેશ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિજ્ઞેશ મોરડિયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. ધવલ માવાણી પાસેથી બિટકોઈન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યું હતું. 8 ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે 5 કરોડની માંગ કરી હતી. જેમાંથી 4 કરોડ રૂપિયા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે મોકલાવ્યા હતા. જે કિરીટ પાલડિયાએ સુનિલ નાયર સુધી પહોંચાડ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34KjnmA
via IFTTT
No comments:
Post a Comment