બીટકોઈન કેસમાં CBIએ PI સુનિલ નાયર સામે ગુનો નોંધ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

બીટકોઈન કેસમાં CBIએ PI સુનિલ નાયર સામે ગુનો નોંધ્યો

બહુચર્ચિત બીટકોઈન કેસમાં સીઆઈડી ક્રાઈમે આપેલા રિપોર્ટને પગલે સીબીઆઈ, દિલ્હીની એન્ટિ કરપ્શન બ્રાંચે પોતાના જ ઈન્સ્પેક્ટર સુનિલ નાયર સામે બીટકોઈન કેસના આરોપી શૈલેષ ભટ્ટ પાસેથી રૂ.પાંચ કરોડની ખંડણી લેવા બદલ ગુનો દાખલ કર્યો છે. આ કામમાં મદદગારી કરનારા શૈલેષ ભટ્ટના નજીકના મિત્ર કિરીટ પાલડિયાને પણ આ કેસમાં આરોપી તરીકે દર્શાવાયો છે.

રાજ્યના ચર્ચિત બીટકોઈનકેસમાં શરૂઆતમાં તબક્કામાં શૈલેષ ભટ્ટ પાસે કરોડોના બીટકોઈન હોવાનું જાણતા તેના મિત્ર કિરીટ પાલડિયાએ ગાંધીનગર સીબીઆઈમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ નાયર સાથે મળીને શૈલેષ ભટ્ટ પાસેથી નાણાં પડાવવાનો કારસો રચ્યો હતો. તપાસ દરમિયાન શૈલેષ ભટ્ટે સુરતના ધવલ માવાણીને ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી રૂ.150 કરોડના બીટકોઈન પડાવી લીધાનું બહાર આવતા શૈલેષ ભટ્ટ ફરાર થઈ ગયો હતો.

આંગડિયાથી શૈલેષે સુનિલને રૂપિયા પહોંચાડ્યા હતા

સુનિલ નાયરે 7 ફેબ્રુઆરી, 2018ના રોજ સાંજે 5-47 કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસે આવવા કહ્યું હતું. શૈલેશ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિજ્ઞેશ મોરડિયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. ધવલ માવાણી પાસેથી બિટકોઈન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યું હતું. 8 ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે 5 કરોડની માંગ કરી હતી. જેમાંથી 4 કરોડ રૂપિયા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે મોકલાવ્યા હતા. જે કિરીટ પાલડિયાએ સુનિલ નાયર સુધી પહોંચાડ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34KjnmA
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here