
અ યોયોધ્યામાં જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી હું મારા વાળ નહીં બાંધુ તેવી પ્રતિજ્ઞા લેનારાં સાધ્વી ઋતુંભરાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે એ દિવસો નજીક આવી રહ્યાં છે જ્યારે રામલલ્લાની જન્મભૂમિ પર તેમનું દિવ્ય મંદિર બનશે. હજારો લોકોના લોહી આ મંદિર માટે સરયૂ નદીમાં વહ્યાં છે અને તેમના બલિદાનોનું આ સુંદર પરિણામ આજે આવ્યું છે. અયોધ્યામાં અન્ય સ્થળે મસ્જિદ અંગે સુપ્રીમે જે ચૂકાદો આપ્યો છે તેનું સન્માન કરીને સૌએ સમાધાન તરફ આગળ વધવું જોઇએ. ખરેખર હવે દેશમાં રામરાજ્યની સ્થાપના થઇ રહી છે અને સહુ તેનાથી આનંદિત છે, સહુ તેમાં સહયોગ કરે અને મંદિરના નિર્માણની તથા ટ્રસ્ટના ગઠનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવું હું ઇચ્છું છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33znH83
via
IFTTT
No comments:
Post a Comment