રામ મંદિર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અજબ સંયોગ છે. સપ્ટેમ્બર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, November 9, 2019

રામ મંદિર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અજબ સંયોગ છે. સપ્ટેમ્બર

રામ મંદિર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અજબ સંયોગ છે. સપ્ટેમ્બર 1990માં સોમનાથ મંદિરેથી શરૂ થયેલી અડવાણીની રથયાત્રાના સારથિ મોદી હતા. હવે રામ મંદિરનો વિવાદનો અંતિમ ચુકાદો પણ મોદીના કાર્યકાળમાં આવ્યો છે. અડવાણીની રથયાત્રાના સંયોજક આમ તો પ્રમોદ મહાજન હતા. પણ ગુજરાતમાં આ યાત્રાના શિલ્પી અને રણનીતિકાર નરેન્દ્ર મોદી હતા. આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતમાં ભાજપના મહામંત્રી (સંગઠન) હતા. આ યાત્રાના સંયોજને નરેન્દ્ર મોદીને પાર્ટીમાં અલગ સ્થાને પહોંચાડી દીધા હતા. એ રીતે અયોધ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવનનો મહત્ત્વનો પડાવ રહ્યું છે. રાષ્ટ્ીય રાજકારણમાં મોદીના ઉદયનો શ્રેય પણ અયોધ્યાને જ જાય છે. રથયાત્રાએ રામમંદિર આંદોલનની દિશા બદલી દીધી હતી. 1990ની 13મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીએ જ દિવસે રથયાત્રાના કાર્યક્રમ તથા નકશા વિશે માહિતી આપી હતી. તેમણે આ દરમ્યાન રામ મંદિરને રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના અને સંકલ્પનો હિસ્સો દર્શાવીને સંઘર્ષનો મંત્ર ફૂંક્યો હતો. નરેન્દ્ર મોદી રાજનીતિના આ દૂરગામી મિશનના બેકરૂમ મેનેજર હતા. રથયાત્રાને મળેલા પ્રચંડ પ્રતિસાદથી સંગઠનમાં તેમના કદમાં વધારો થયો હતો. રથયાત્રાના લીધે કેન્દ્રમાં વીપી સિંહે સરકાર ગુમાવી તો યુપીમાં કોંગ્રેસને મૂળથી ઉખાડી ફેંકી. સોમનાથથી યાત્રા શરૂ કરવામાં ભાજપે શિવમંદિરનો પ્રતીક તરીકે ઉપયોગ કર્યો જેને મુસ્લિમ આક્રમણખોરોએ વારંવાર તોડ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Q5FTlI
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here