પ્રદૂષણથી કેમ અને ક્યાં સુધી થતો રહેશે નરસંહાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, November 6, 2019

પ્રદૂષણથી કેમ અને ક્યાં સુધી થતો રહેશે નરસંહાર

ખરે સુપ્રીમકોર્ટે દિલ્હીના દમ ઘોંટતા પ્રદૂષણ વિરુદ્ધ સુઓમોટો કરવી પડી. રાજકીય સિદ્ધાંત તો કહે છે કે, પ્રજાતંત્રમાં સરકાર જન સરકાર પ્રત્યે રાજાશાહી કે સામંતવાદ કરતા વધુ સક્રિય હોય છે, પરંતુ ભારતમાં સરકારોની પ્રાથમિકતા ઘણી અલગ હોય છે. જો કોઈ કોઈની હત્યા કરે તો તેને ફાંસી કે આજીવન કારાવાસની સજા મળે છે. WHO અને શિકાગો યુનિ.ના અહેવાલો પ્રમાણે, ભારતમાં પ્રદૂષણ છેલ્લા 20 વર્ષમાં 69 ટકા વધ્યું છે. જેનાથી કરોડો લોકોનું આયુષ્ય દસ વર્ષ ઓછું થયું છે અને દર વર્ષે એક લાખ બાળકોના મોત થયા છે. પરંતુ સરકારને આટલા મોટા ‘નરસંહાર’ની ક્યારેય ચિંતા જ નથી થઈ. જ્યારે અહેવાલો મીડિયામાં આવવા લાગ્યા તો ખુદ વડાપ્રધાન અને તેમના ‘સર્વશક્તિમાન’ કાર્યાલયમાં બેઠકો થઈ, પરંતુ નાસાએ મોકલેલા આંકડા પ્રમાણે, ગયા વર્ષના 1થી 6 નવેમ્બર કરતા આ વર્ષે પંજાબ અને હરિયાણામાં વધુ પરાળ બળાઈ છે. સરકારી આંકડા ભ્રમિત કરનારા હોય છે. ગયા વર્ષે 1 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીના ગાળામાં આ વર્ષે 12 ટકા ઓછી પરાળ બાળવાની ઘટના નોંધાઈ છે. તેમાં એવું નથી કહેવાયું કે, વરસાદ મોડો થયો હોવાથી ખેડૂતોએ કાપણી પણ મોડી શરૂ કરી હતી. આ જ કારણથી છેલ્લા ચાર દિવસમાં અને આગામી એક અઠવાડિયા સુધી પરાળ બાળવાની ઘટનાઓ વધશે અને દિલ્હી ગેસ ચેમ્બર બન્યું રહેશે. જો ખેડૂતો ગુનો કરી રહ્યા છે કે, સરકાર એક તરફ સબસિડી આપીને અને બીજી તરફ, કડક કાયદો બનાવીને આ મુશ્કેલીને ખતમ કરી શકતી હતી. જો દર વર્ષે દેશની રાજધાની ગેસ ચેમ્બર બની જાય છે અને ધીમે ધીમે પ્રદૂષણ લાખો જિંદગીઓને ગળી જાય છે તો તેની જવાબદારી કોની? મીડિયા જ્યારે દિલ્હીમાં થયેલા એક બળાત્કારને દર્શાવે છે તો સરકારના મંત્રીઓ આરોપ મૂકે છે કે, આવી ઘટનાઓના અહેવાલ પ્રકાશિત કરવાથી દેશની છબિ વિદેશમાં ખરડાય છે. પરંતુ નાસા દિલ્હીની હવા ઝેરીલી હોવાથી ત્યાંના નાગરિકોનું આયુષ્ય દસ વર્ષ ઘટ્યું છે, એવો અહેવાલ આપે છે ત્યારે શું ભારતને વિશ્વમાં સન્માનની નજરે જોવામાં આવે છે? સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓમોટો દાખલ કરી તે કેન્દ્ર અને રાજ્ય સરકારોની જડતા પર તમાચો છે.





Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2pMMmXS
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here