સુપ્રીમકોર્ટથી અયોધ્યામાં રામ જન્મભૂમિની જમીન પર માલિકીનો હકનો ચુકાદો આવ્યા પછી હવે સૌની નજર 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું પાડી દેવાના મામલા પર છે. આ મામલે સીબીઆઈ કોર્ટ જલદી જ ચુકાદો આપી શકે છે. આ ગુનાઈત કાવતરાંનો કેસ છે જે ગત 27 વર્ષથી ચાલી રહ્યો છે. હવે તે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ મામલે ગત સુનાવણી 27 સપ્ટેમ્બર 2019ના રોજ હાથ ધરાઈ હતી જેમાં સીબીઆઈ કોર્ટના આદેશ પર રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને તત્કાલીન સીએમ કલ્યાણ સિંહ કોર્ટમાં હાજર થયા હતા.
કોર્ટે પ્રક્રિયા હેઠળ કલ્યાણ સિંહે ન્યાયિક કસ્ટડીમાં લેવા કહ્યું હતું. તેના પર પૂર્વ મુખ્યમંત્રીએ જામીન અરજી આપી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. કલ્યાણ સિંહ માળખું પાડવા સુધી યુપીના મુખ્યમંત્રી હતા. જાણ રહે કે 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું પાડ્યા બાદ તે દિવવસે સાંજે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં પહેલા એફઆઈઆર નોંધાવાઈ હતી. જેનો નંબર 197/92 હતો. તેની ઠીક 10 મિનિટ બાદ બીજી એફઆઈઆર નોંધાવાઈ હતી જેનો નંબર 198/92 હતો. પહેલી એફઆઇઆર અજાણ્યાં કારસેવકો વિરુદ્ધ નોંધાવાઈ હતી જેમાં આઈપીસીની કલમ 395, 397, 332, 337, 338, 295, 297, 152એ લગાવાઈ જોકે બીજી એફઆઈઆરમાં કલમ 153એ, 153બી, 505 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34MNERM
via IFTTT
No comments:
Post a Comment