• 1877માં ઉત્તરીય ક્ષેત્રમાં વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો. તેનાથી હિન્દુઓ માટે આ ક્ષેત્રનું નિયંત્રણ અને સંચાલન શરૂ થયું.
• જાન્યુઆરી 1885માં મહંત રઘુવરદાસે રામજન્મ સ્થાનના મહંતની હેસિયતથી એક કેસ દાખલ કર્યો. તેમની માગ હતી કે રામ ચબૂતરા પર મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવે. આ કેસ ડિસેમ્બર 1885માં ફગાવી દેવાયો.
• 1934માં બંને સમુદાય ફરી આમનેસામને થયા. તેમાં મસ્જિદને નુકસાન થયું. આઝાદ ભારતમાં પ્રથમવાર 23 ડિસેમ્બર, 1949ના રોજ હિંસા દરમિયાન મસ્જિદ ફરી તોડાઈ.
મહાસુનાવણી
આઝાદી પહેલાં
રામમંદિરનો ચુકાદો 163 વર્ષથી ચાલી રહેલા વિવાદ પછી આવ્યો છે. આઝાદી પહેલાંથી 1856માં વિવાદમાં તેજી આવવા માંડી હતી. અંગ્રેજોએ જમીનને બે હિસ્સામાં વહેચી હતી. આથી સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે વિવાદની જડ ભારતનો વિચાર જેટલો જૂનો છે એટલી જૂની છે. વાંચો ચુકાદામાં ઉલ્લેખ કરાયેલા વિવાદનો ઈતિહાસ અને ચુકાદાનો આધાર.
કોર્ટે વિવાદિત જમીનના ત્રણ સરખા હિસ્સા કરી હિન્દુ, મુસ્લિમ અને નિર્મોહી અખાડા ત્રણેય પક્ષને આપી દીધી
• 1950માં ફૈઝાબાદના સિવિલ જજ સમક્ષ ગોપાલસિંહ વિશારદે એવા દાવા સાથે કેસ કર્યો કે રામજન્મભૂમિમાં પૂજા-અર્ચન કરવું એ તેમનો અધિકાર છે.
• 1959માં નિર્મોહી અખાડાએ ફૈઝાબાદમાં જ કેસ કર્યો કે 19 ડિસેમ્બર, 1949 પછી મંદિરનું સંચાલન તેમની પાસે હતું. એ દિવસે 1949માં ક્રિમિનિલ પ્રોસિઝર કોડની કલમ 145 હેઠળ આ સમગ્ર માળખા સહિતની જમીન સરકારે જપ્ત કરી લીધી.
• 1961માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ તથા અયોધ્યાના અન્ય મુસ્લિમ રહેવાસીઓએ કેસ દાખલ કર્યો કે વિવાદિત ક્ષેત્રનો માલિકી હક તેમનો છે. બોર્ડનો દાવો હતો કે બાબરની સેનાના કમાન્ડર મીર બાકીએ 1530માં અહીં ખાલી પડેલી જમીન પર મંદિર તોડ્યા વિના મસ્જિદ બનાવી અને અહીં ડિસેમ્બર 1949 સુધી નમાઝ અદા કરાતી હતી. 16 ડિસેમ્બર, 1949ના રોજ શુક્રવારનો દિવસ હતો. આ દિવસે આખરી નમાઝ અદા થઈ હતી. 22-23 ડિસેમ્બર, 1950ના રોજ માળખામાં થોડી તોડફોડ થઈ ત્યાર પછી નમાઝ બંધ થઈ ગઈ.
• 1989માં ભગવાન શ્રીરામ બિરાજમાન તથા તેમના જન્મસ્થળ જેનું નામ હતું સ્થાનશ્રી રામજન્મભૂમિ, બંનેને કાનૂની અસ્તિત્વ આપવાની માગ કરાઈ. માગકર્તાઓને કોર્ટે નેક્સ્ટ ફ્રેન્ડ એવું નામ આપ્યું.
• આ ચારેય કેસને અન્ય હિન્દુ ધાર્મિક કેસ સાથે જોડીને અલ્હાબાદ હાઈકોર્ટે જિલ્લા કોર્ટમાંથી કેસ પોતાની પાસે લઈ લીધા. તેના પર 30 સપ્ટેમ્બર, 2010ના રોજ ચુકાદો આવ્યો. કોર્ટે વિવાદિત જમીનને ત્રણ સરખા હિસ્સે હિન્દુ, મુસ્લિમ અને નિર્મોહી અખાડા ત્રણેય પક્ષને આપી દીધી.
આઝાદી પછી
સત્યના બે પડાવમાં મધ્યસ્થતા, એકની સ્વતંત્રતા બીજાની પરાધીનતા ના બને
• કોર્ટે કહ્યું - બે ધર્મોના અનુયાયીઓ વચ્ચે 1500 સ્કવેર યાર્ડ જમીનની માલિકીનો વિવાદ છે.
• ભારતીય પરંપરામાં સત્યને તથ્ય, રાજનીતિ અને અધ્યાત્મ માર્ગ સાથે સ્થાપિત કરવાનું ચલણ છે. કોર્ટ સત્યની બે ભાગમાં મધ્યસ્થી કરી રહ્યું છે. એ રીતે એકની સ્વતંત્રતા બીજાની પરાધિનતા ન બને અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તે જોવું પડે.
• કોર્ટ માને છે કે વિવાદની જડ ભારતના વિચાર જેટલી જ જૂની છે.
• 41 દિવસની સુનાવણી થઈ. 1950-1989 વચ્ચે ચાર કેસ દાખલ થયા. અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો 2010માં આવ્યો તે પહેલાં 4304 પત્રોમાં કોર્ટના ત્રણ નિર્ણય પહેલાં જ આવી ચૂક્યા હતા. આ નિર્ણય અંગે દાખલ કરાયેલી અપીલની સુનાવણી કર્યા પછી કોર્ટે ચુકાદો તૈયાર કર્યો.
• કોર્ટે કહ્યું - હિન્દુ પક્ષ માને છે કે રામલલાનું મંદિર તોડીને મસ્જિદ બની. મુસ્લિમ પક્ષ માને છે કે બાબરે મસ્જિદ બનાવી પરંતુ મંદિર તોડીને નહીં પણ ખાલી જમીન પર મસ્જિદ બની.
ચુકાદામાં કોર્ટે કહ્યું
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34VRuYX
via IFTTT
No comments:
Post a Comment