જસદણ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદુનનબીની પુર્વ સંધ્યાએ જીજાનથી ઉજવણી કરવામાં આવી હતી મિસરી કેલેન્ડર મુજબ ઇદે મિલાદ આજે શનિવારે છે પણ સમાજમાં રાતનું ખાસ મહત્વ હોવાથી ગઈકાલે શુક્રવારની રાત્રીએ દુનિયાભરના વ્હોરા બિરાદરોની સાથોસાથ જસદણ દાઉદી વ્હોરા સમાજના આમીલ શબ્બીરભાઈ સાહેબ મોમીનની આગેવાની હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજી ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર સાહેબ હજરત મોહંમદ મુસ્તફા (સ અ વ) ને ગર્વભેર યાદ કરી તેમના જન્મદિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી નબી સાહેબે પોતાના જીવન દરમિયાન અપાર સદકાર્યો કરી એક માનવતાભર્યું જીવન જીવી ગયાં તેથી આજે પણ જગતભરના ભલભલા મહારથીઓ તેમના ગુલામના ગુલામ હોવાનો દાવો આજે પણ કરી રહ્યાં છે અને વિશ્વના દરેક દેશોના મુસ્લિમ બિરાદરો દરરોજ એમને હદયપુર્વક યાદ કરે છે આવા મહાન માનવતાવાદી નબી સાહેબના પવિત્ર જન્મદિવસે શુક્રવારે સાંજે જસદણ દાઉદી વ્હોરા સમાજએ પણ તન મન અને ધનથી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી હ. મોહંમદ મુસ્તફા (સ અ વ) ની સાથે એમના ત્રેપનમાં દાઇ ( સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો સૈયદના અબુ જાફરુંસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત ઉ શ) ને પણ યાદ કર્યા હતાં શુક્રવારે સાંજે મગરીબ અને ઈશાની નમાઝ પછી શહેરની બુરહાની મસ્જિદ પાસેથી એક વિશાળ જુલુશ નીકળી રાજમાર્ગો પર ફરી મસ્જિદમાં મજલીશના રૂપમાં ફેરવાઈ ત્યા પીડિતોની કરુણાનો સાદ સાંભળનાર અને ગુલામોના મુક્તિદાતા મોહંમદ સાહેબને ઉમળકાભેર યાદ કરી તેમની શાનમાં આમિલ સાહેબ શબ્બીરભાઈ સાહેબ મોમીનએ વાએઝ કર્યા બાદ ન્યાઝ થઈ હતી આમ ઇદે મિલાદની ઉજવણી જસદણ વ્હોરા સમાજએ ગર્વભેર કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CvIjC2
via IFTTT
No comments:
Post a Comment