મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ બનેલા ભાજપના વિધાનમંડળ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને સરકાાર રચવાની તૈયારી દર્શાવવા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પૂછ્યું હતું. ફડણવીસ સરકાર રચવાની તૈયારી દર્શાવશે કે નહીં? બહુમતીની અગ્નિપરીક્ષાનો સામનો કરશે કે નહીં એ જોવું હવે ઉત્સુકતા વધારનારું છે. દરમિયાન સત્તા સ્થાપવાની કે નહીં એનો નિર્ણય રવિવારે ભાજપની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે એમ ભાજપ નેતા સુધીર મુનગંટીવારે સ્પષ્ટ કર્યું હતું.
ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પંદર દિવસ વીતી ગયા છતાં કોઈ પણ પક્ષ તેમ જ ગઠબંધન અને સૌથી મોટા પક્ષ તરફથી સરકાર રચવા માટે દાવો રજૂ કરવા આગળ આવ્યું નથી. તેથી રાજ્યપાલે નિયમ અનુસાર સૌથી મોટા પક્ષને સરકાર રચવાની તેની તૈયારી બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા માટે થયેલી ચૂંટણીનું પરિણામ ...અનુસંધાન પાના નં. 6
24 ઓકટોબરના જાહેર થયું હતું. એમાં ભાજપ 105 સીટ મેળવીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. શિવસેના 56 સીટ સાથે દ્વિતિય ક્રમે રહ્યો. આ બંને પક્ષ મહાયુતિ બનાવીને ચૂંટણી લડ્યા હતા. પણ પરિણામ પછી અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદ પરથી બંને પક્ષમાં સંઘર્ષ શરૂ થયો હતો. શિવસેના અઢી વર્ષ મુખ્યમંત્રી પદની માગણી પર મક્કમ રહી હોવાથી અને ભાજપે આ માગણી ફગાવી દીધી હોવાથી સત્તાસંઘર્ષ વધ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકબીજા પર શાબ્દિક વાર કર્યા હતા. લોકસભા ચૂંટણીના સમયે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપેલા વચનની યાદ કરાવતા ઉદ્ધવે ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. શાહ એન્ડ કંપની ખોટું બોલે છે અને ખોટું બોલનારાઓ સાથે હું મૈત્રી રાખતો નથી એમ ઉદ્ધવે જણાવ્યું હતું. આ સંઘર્ષનો અંત હજી આવ્યો નથી અને યુતિ હજી તૂટી નથી. છતાં બંને પક્ષ એક થશે એવી શક્યતા લાગતી નથી. આ સ્થિતિમાં રાજ્યપાલે સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સત્તા સ્થાપવાની તૈયારી દર્શાવવા પૂછ્યું છે. હવે આગળ શું થશે એની ઉત્સુકતા બધાને છે.
ફડણવીસે શુક્રવારે મુખ્યમંત્રી પદનું રાજીનામુ રાજ્યપાલને સોંપ્યું હતું. એ મંજૂર કરીને રાજ્યપાલે નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી ફડણવીસને રખેવાળ મુખ્યમંત્રી તરીકે કામ જોવા જણાવ્યું હતું. એ અનુસાર દેવેન્દ્ર ફડણવીસ અત્યારે રખેવાળ મુખ્યમંત્રી છે. હવે રાજ્યપાલે સત્તા સ્થાપવા માટે ભાજપ તૈયાર છે કે કેમ એ અંગે સૂચિત કરવા સત્તાવાર રીતે જણાવ્યું છે. સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા રાજ્યપાલ જણાવે એ અપેક્ષિત હતું. જોકે આજની તારીખે ભાજપ બહુમતીથી દૂર છે. તેથી રાજ્યપાલના જણાવ્યા બાદ સરકાર રચે તો બહુમતી સાબિત કરવાનો પડકાર ભાજપ સમક્ષ છે.
શું થઈ શકે?
જો ભાજપ સત્તા સ્થાપવાનું આમંત્રણ સ્વીકારે તો મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સભ્યોમાંથી 50 જેટલા સભ્યોને વિશ્વાસનો મત લેવા સમયે ગેરહાજર રહેવાનો ખેલ પાડી શકે છે. જો આમ થાય તો 105 ભાજપ સભ્યો અને ટેકો આપનારા 15 સભ્યો સાથે ભાજપ બહુમતી સાબિત કરી શકે અને આગામી 6 મહિના સુધી લઘુમતી સરકાર ચલાવવાનો તક મળી શકે. બીજો વિકલ્પ એ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ ભાજપને બહારથી ટેકો આપે તો રાજ્યને ફરીથી ચૂંટણી યોજવામાંથી મુક્તિ આપી શકે. તેના બદલામાં તેઓ રાષ્ટ્રવાદીના નેતાઓ પરની કાર્યવાહીનું દબાણ હલવું કરી શકે એવો મત રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઈ રહ્યો છે. અયોધ્યા ચુકાદા બાદ બદલાયેલી પરિસ્થિતિમાં ત્રીજા વિકલ્પ તરીકે શિવસેનાને રાજી કરે તથા ઉપમુખ્યમંત્રી પદ અને વગદાર ખાતાઓ સોંપે. એક અન્ય વિકલ્પમાં કોંગ્રેસના વિધાનસભ્યો શનિવારે મોડી રાત્રે મુંબઈ પરત આવવાની શક્યતા છે. જો તેઓ સાથે તોડફોડની રાજનીતિ સફળ થાય તો ભાજપને ખૂટતા સભ્યોનું બળ મળી શકે.
બોક્સ...
શિવસેનામાં હિલચાલ શરૂ
ભાજપને આમંત્રણ મળ્યા બાદ શિવસેનામાં હિલચાલ શરૂ થઈ છે. શિવસેનાના વિધાનસભ્યો સાથે કોઈ સંપર્ક ન કરે એની તકેદારી રાખવામાં આવી રહી છે. શિવસેનાના વિધાનસભ્યોની તમામ જવાબદારી સંસદસભ્ય અનિલ દેસાઈ, ગજાનન કિર્તીકર, મિલિંદ નાર્વેકર, રામદાસ કદમને સોંપવામાં આવી છે. શિવસેનાના તમામ વિધાનસભ્યો માટે મલાડ ખાતે હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં અાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O0bmTT
via IFTTT
No comments:
Post a Comment