હવે આઈપીએલમાં નો બોલ માટે અલગ અમ્પાયર રહેશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

હવે આઈપીએલમાં નો બોલ માટે અલગ અમ્પાયર રહેશે

આઈપીએલ ટી-20 ટૂર્નામેન્ટમાં આગામી સિઝનથી પાવર પ્લેયર નિયમ લાગુ નહીં થાય. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય કરાયો. મેચ દરમિયાન નોબોલ જેવા અલગથી એક અમ્પાયર રાખવામાં આવશે, જે ફિલ્ડ અમ્પાયરને માહિતી આપશે. ચેરમેન બ્રૃજેશ પટેલની અધ્યક્ષતામાં મુંબઈમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. ગત સિઝનમાં મુંબઈ અને બેંગલુરુની મેચમાં એસ રવિ મલિંગાનો નો-બોલ જોઈ શક્યા નહીં. જેના કારણે બેંગલુરુ મેચ હારી હતી. મેચ બાદ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ ખરાબ અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. બેઠક બાદ કાઉન્સિલના એક સભ્યએ જણાવ્યું કે, નો-બોલ ચેક કરવા માટે એક અલગ અમ્પાયર રહેશે. જે ત્રીજા અને ચોથા અમ્પાયર કરતા અલગ રહેશે. બેઠકમાં નિર્ણય કરાયો કે આગામી સિઝન માટે હરાજી 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે. આ હરાજી માત્ર એક દિવસની રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2PS4zOo
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here