દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જાડેજાએ જણાવ્યું કે આ ચૂકાદાને પગલે અમે અત્યાર થી જ પોલિસને એલર્ટ કરી દીધી છે. રાજ્ય અનામત પોલિસ દળની ટુકડીઓ અને અન્ય અર્ધલશ્કરી બળોના જવાનોની સંવેદનશીલ સ્થળોએ તૈનાતી કરવા માટે અત્યાર થી જ હુકમો રાજ્યના પોલિસ વડા મારફતે જારી કરવા માટે સૂચના સરકારે આપી દીધી છે.
આ મામલે લોકોને સંયમ જાળવવાની અપીલ સાથે સોશિયલ મીડિયા થકી ઉશ્કેરણીજનક સંદેશાના પ્રસારણને નિયંત્રણમાં લેવા માટે અમારી પોલિસ સજ્જ છે અને આ માટે અમે વિશેષ નજર રાખીશું. આ સાથે હાઇવે અને અન્ય રસ્તાઓ પર પણ
પોલિસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે, તેમ જાડેજાએ ઉમેર્યું.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ ચૂકાદાને લઇને ખૂબ ઉત્સાહિત છે. તેઓએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે ચૂકાદો રામજન્મભૂમિની તરફેણમાં જ આવશે અને હું ઓગણત્રીસ વર્ષે મીઠાઇ ખાઇશ. 1990ની સાલમાં અમદાવાદમાં રથયાત્રા દરમિયાન રથ ખેંચાયો તે અરસામાં લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં મેં સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં રામમંદિર ન બને ત્યાં સુધી હું મીઠાઇ ખાઇશ નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33w3sIl
via IFTTT
No comments:
Post a Comment