ગાંધીનગર | અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા જાહેર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

ગાંધીનગર | અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા જાહેર

ગાંધીનગર | અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા જાહેર થનારા ચુકાદાને લઇને ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા તેમજ જનતામાં સુલેહ અને શાંતિ જળવાય તે માટે તાકીદે વ્યવસ્થા કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શુક્રવારે રાત્રે જ ગૃહવિભાગના અધિકારીઓ તથા રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓને બોલાવીને તે માટે આયોજન કરી દીધું હતું. ...અનુસંધાન પાના નં. 6

દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જાડેજાએ જણાવ્યું કે આ ચૂકાદાને પગલે અમે અત્યાર થી જ પોલિસને એલર્ટ કરી દીધી છે. રાજ્ય અનામત પોલિસ દળની ટુકડીઓ અને અન્ય અર્ધલશ્કરી બળોના જવાનોની સંવેદનશીલ સ્થળોએ તૈનાતી કરવા માટે અત્યાર થી જ હુકમો રાજ્યના પોલિસ વડા મારફતે જારી કરવા માટે સૂચના સરકારે આપી દીધી છે.

આ મામલે લોકોને સંયમ જાળવવાની અપીલ સાથે સોશિયલ મીડિયા થકી ઉશ્કેરણીજનક સંદેશાના પ્રસારણને નિયંત્રણમાં લેવા માટે અમારી પોલિસ સજ્જ છે અને આ માટે અમે વિશેષ નજર રાખીશું. આ સાથે હાઇવે અને અન્ય રસ્તાઓ પર પણ

પોલિસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે, તેમ જાડેજાએ ઉમેર્યું.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ ચૂકાદાને લઇને ખૂબ ઉત્સાહિત છે. તેઓએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે ચૂકાદો રામજન્મભૂમિની તરફેણમાં જ આવશે અને હું ઓગણત્રીસ વર્ષે મીઠાઇ ખાઇશ. 1990ની સાલમાં અમદાવાદમાં રથયાત્રા દરમિયાન રથ ખેંચાયો તે અરસામાં લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં મેં સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં રામમંદિર ન બને ત્યાં સુધી હું મીઠાઇ ખાઇશ નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33w3sIl
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here