અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટ આજે ચુકાદો આપશે. સવારે 10.30 - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટ આજે ચુકાદો આપશે. સવારે 10.30


અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટ આજે ચુકાદો આપશે. સવારે 10.30 વાગે ચુકાદો આવવાની સંભાવના છે. શનિવારે સુપ્રીમકોર્ટ બંધ રહે છે પરંતુ અનઅપેક્ષિત રીતે શુક્રવારે મોડી સાંજે કોર્ટની વેબસાઈટ પર નોટિસ મૂકી શનિવારે ચુકાદાની જાણ કરાઈ હતી. 5 જજની બંધારણીય બેન્ચે દાયકાઓ જૂના આ વિવાદ મુદ્દે 40 દિવસ સુધી સતત સુનાવણી કરીને 16 ઓક્ટોબરે ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા શુક્રવારે દિવસ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી અને ડીજીપી ઓ.પી. સિંહને બોલાવી કાયદો અને

...અનુસંધાન પાના નં. 6



વ્યવસ્થા જાળવવા કરાયેલી તૈયારીની સમીક્ષા કરી હતી. ચીફ જસ્ટિસની ચેમ્બરમાં આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. બંધારણીય બેન્ચમાં સામેલ અન્ય 4 જજ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.

ઉ.પ્ર.માં 11મી સુધી શાળા બંધ, અયોધ્યામાં કલમ 144

રાજકીય અને ધાર્મિક રીતે સંવેદનશીલ અયોધ્યા વિવાદ પર ચુકાદાનો સમય નક્કી થતાં જ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. ઉત્તર પ્રદેશ અને અયોધ્યામાં વિશેષ સુરક્ષા ગોઠવાઈ છે. ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં શનિવારે શાળા-કોલેજ બંધ રહેશે. ઉત્તર પ્રદેશમાં તો 11મી સુધી શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે. અયોધ્યા, ભોપાલ, જયપુરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2K5uuyB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here