પ્રજ્ઞાચક્ષુ છાત્રા પર બે શિક્ષકોનું દુષ્કર્મ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

પ્રજ્ઞાચક્ષુ છાત્રા પર બે શિક્ષકોનું દુષ્કર્મ


અંબાજીના કુંભારીયા નજીક આવેલી ખાનગી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની ધોરણ 9 ની છાત્રા પર બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો જયંતિ ઠાકોર અને ચમન ઠાકોરે દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે.ગત ભાદરવા મહિનામાં રામાપીરના નોરતા દરમિયાન બંને શિક્ષકોએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ.દિવાળી વેકેશન દરમિયાન વતન ગયેલી છાત્રાએ પરિવારને આ ઘટનાની જાણ કરતાં આ કૃત્ય બહાર આવ્યું હતુ.ઘટનાની ગંભીરતાને પગલે શાળા સંચાલકોએ ત્વરિત બન્ને શિક્ષકોને છુટા કરી દીધા.છાત્રાના પરિવારે સોમવારે સાંજે અંબાજી પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અંબાજીના કુંભારીયા નજીક નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુર તાલુકાના પ્રેમનગરની સગીરા ધોરણ-9 માં પ્રજ્ઞાચક્ષુલિપિ અને સંગીતનો અભ્યાસ કરે છે.ભાદરવા મહિનામાં રામાપીરના નોરતા દરમિયાન સંગીતના રૂમમાં શિક્ષક જયંતિ વિરચંદભાઇ ઠાકોરે દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ નવરાત્રીના પ્રથમ નોરતાના આગલા દિવસે શિક્ષક ચમનલાલ મૂળાજી ઠાકોરએ પણ છોકરીઓના રૂમમાં જઈ એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ ઘટનાની જાણ શાળાના શિક્ષક રાહુલભાઇ, લલિતભાઇ અને માધવભાઇને કરી હતી. ઘટનાની જાણ સ્કૂલના સંચાલકોને થતા તેમણે તરત બન્નેને છુટા કરી દીધા હતા.

બંને શિક્ષકોને છૂટા કરી દેવાયા

સંસ્થાના શિક્ષકો દ્વારા જ સગીરા પર બળાત્કાર થયો હોવાનું જાણી બન્ને શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરી દેવાયા હતા. અમે પોલીસને પૂરતો સહકાર આપી આરોપી શિક્ષકોના ઘરના સરનામાં સહિતની વિગતો આપી છે તપાસમાં પૂરતો સહકાર આપ્યો છે. એલ.બી.પ્રજાપતિ, સંસ્થાના મંત્રી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the misdeeds of two teachers on an enlightened student 063034


from Divya Bhaskar https://ift.tt/2NMbZA6
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here