
અયોધ્યા મામલે ચુકાદો આવ્યાના એક દિવસ પહેલા જિલ્લા તંત્ર, પોલીસના ટોચના અધિકારીઓ અને શાંતિ સમિતિઓએ જુદા જુદા સ્થળોએ બેઠક યોજી. તંત્ર દ્વારા 11 નવેમ્બર સુધી શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી. કાશી વિશ્વનાથ સહિત અનેક મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ હતી. બેઠકો દરમિયાન અપર પોલીસ મહાનિર્દેશક બૃજભૂષણે લોકોને સમજાવ્યું કે સોશિયલ મીડિયા પર યુવા કોઈ મેસેજ અપલોડ કરે તો તેમણે જણાવો કે કોઈ વાંધાજનક તથ્યો ના લખે અને ન તો એવા મેસેજને ફોરવર્ડ કરે. તેમને જણાવો કે સોશિયલ મીડિયાનું મોનિટરિંગ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે બે ચાર સ્વાર્થી તત્વ માહોલ બગાડી સૌના માટે મુશ્કેલી પેદા કરે છે. સારા લોકોની આ જવાબદારી છે કે તે તેમને જાગૃત કરે, મોહલ્લા, ગામમાં જઇને લોકોને સમજાવે. જેનાથી શાંતિ જળવાઈ રહે અને પોલીસની જરૂર ના પડે. પોલીસ મહાનિરીક્ષક વિજય સિંહ મીણાએ કહ્યું કે કોઈ શહેરનું માહોલ બનાવવામાં વરસો લાગી જાય છે પણ બગાડવામાં સમય લાગતો નથી અને કેટલાક લોકોની નાદાનીથી સમાજના તાણા-વાણા વિખેરાઈ જાય છે. તેમણે કહ્યું કે સમાજના સન્માનિત લોકોની નામથી પોલીસની સાથે ડ્યુટી લગાવાઈ છે. તે પણ મોહલ્લાના ચારરસ્તાઓ પર સાથે રહેશે.
વારાણસીથી લાઇવ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2rrP8m1
via
IFTTT
No comments:
Post a Comment