અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટમાં 40 દિવસ સુધી ચાલેલી મેરેથોન સુનાવણીના છેલ્લા દિવસે કેસમાં ત્યારે રસપ્રદ વળાંક આવ્યો કે જ્યારે મધ્યસ્થી સમિતિએ વિવાદ ખતમ કરવા સુપ્રીમકોર્ટમાં સેટલમેન્ટ રિપોર્ટ દાખલ કર્યો. સૂત્રોના કહેવા મુજબ, સેટલમેન્ટ અરજીમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાની વાત કરાઇ હતી. રિપોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડે વિવાદિત જમીન છોડવાની વાત કરી હતી અને સાથે કહ્યું- અયોધ્યાની કેટલીક મસ્જિદોની મરામત થવી જોઇએ. સાથે જ આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા દ્વારા સંરક્ષિત સ્મારકોમાં ઇબાદતની મંજૂરી આપવી જોઇએ. આ સ્મારકોની ઓળખ સુપ્રીમકોર્ટે નીમેલી સમિતિ કરે. ભાઇચારો જાળવી રાખવા અયોધ્યામાં સદભાવના સંસ્થાન પણ બનાવવું જોઇએ. દેશના ધાર્મિક સ્થળો પર 1947થી પહેલાની સ્થિતિ જાળવી રાખવા કાયદો લાગુ કરવો જોઇએ. તે સંબંધી કાયદો 1991માં નરસિંહ રાવ સરકારે પસાર કર્યો હતો. રિપોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડ, નિર્વાણી અખાડા (નિર્મોહી અખાડાનું સંરક્ષક સંગઠન), હિન્દુ મહાસભા અને રામ જન્મભૂમિ પુનરોદ્ધારના પ્રતિનિધિઓની જ સહી છે જ્યારે કુલ 20 પક્ષકાર છે. મધ્યસ્થી સમિતિએ સોમવારે સુપ્રીમકોર્ટને સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહેમદ ફારુકીને સુરક્ષા આપવા માગ કરી હતી. જોકે, તેમણે તેના કારણોનો ખુલાસો નહોતો કર્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pLioDX
via IFTTT
No comments:
Post a Comment