
શેખ ખલીલ ફરહાદ | હૈદરાબાદે પણ આ ઐતિહાસિક ચુકાદાનું શાંતિથી સ્વાગત કર્યું. જોકે ઇદ મિલાદ ઉન નવીની ધૂમ તથા ચુકાદાનો દિવસ હોવાથી અહીં દરેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ હતી. હૈદરાબાદના પોલીસ કમિશનર અંજનીકુમારે કહ્યું કે દરેક જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે જેથી કોઈ અપ્રિય ઘટના બને નહીં. દર્શઘા જિહાદ અને શહાદતે પ્રેસ કોન્ફરન્સ કરવા પ્રયત્ન કર્યો પણ પોલીસે ડીજેએસના પ્રમુખ અબ્દુલ મજિદ, મહામંત્રી સલાહુદ્દીન અફ્ફાન અને આયોજન સચિવ મોહમ્મદ બિન ઉમરની ધરપકડ કરી હતી. કહેવાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લેતા પોલીસે આ પગલું ભર્યું છે. જમાત-એ-ઈસ્લામી તેલંગાણાના પ્રમુખ હામિદ મોહમ્મદ ખાન કહે છે કે તેઓ કોર્ટના ચુકાદાથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી. સમાજમાં કાયદો અને વ્યવસ્થા બહુ મહત્ત્વના છે. આથી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો સ્વીકાર કરીશું. તેમણે દેશના નાગરિકોને શાંતિ અને સદભાવના જાળવી રાખવા અપીલ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2X3RNhl
via
IFTTT
No comments:
Post a Comment