અનિરુદ્ધ શર્મા | અયોધ્યા ચુકાદાની સાંજે અયોધ્યામાં દિવાળી જેવો માહોલ સર્જાયો. દરેક ઘરના દરવાજા-બારીઓ પર દીવા અને રોશની ઝગમગતી જોવા મળી. બાળકોએ ઘરે દરવાજા અને દુકાનો બહાર પણ રંગોળી કરી હતી. આકાશમાં લેન્ટર્ન પણ દેખાતા હતા અને આતશબાજી પણ દેખાઈ. સવારે પોલીસની ભારે હાજરી છતાં સર્જાયેલો ભય અને ચિંતાનો માહોલ સાંજ થતા થતા સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. એટલે પોલીસે ઢીલ આપવાની પણ શરૂ કરી દીધી અને સરયૂની આરતીમાં સામાન્ય દિવસો કરતા પણ વધુ લોકો ઊમટ્યા. જોકે, ઓળખ પત્ર જોઈને જ લોકોને ત્યાં સુધી જવા દેવાયા. હનુમાનગઢી અને કનક ભવન સહિત તમામ મંદિરોમાં દીવા પ્રગટ્યા. સાંજ થતાં બજારો પણ સંપૂર્ણપણે ખુલ્યા અને લોકો પણ ઘરની બહાર નીકળી પડ્યા, જેનાથી રોનક ઓર વધી. શૃંગાર હાટ પર દીવા પ્રગટાવી રહેલી તેજસ્વિનીએ કહ્યું કે, આમ પણ દેવઉઠી એકાદશીના આગલા દિવસે અયોધ્યામાં દેવદિવાળી પર દીવા પ્રગટાવવાનો રિવાજ છે, પરંતુ ચુકાદાએ ઉત્સાહ વધાર્યો. મહાપ્રભુજીની હવેલી સામે એક નાનકડા ઘરમાં રહેતા વૃદ્ધા રામપ્યારી કહે છે કે, હું વર્ષોથી આ દિવસની રાહ જોતી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CuvTdH
via IFTTT
No comments:
Post a Comment