સોમનાથનાં કાર્તિક મેળાનો આજથી પ્રારંભ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

સોમનાથનાં કાર્તિક મેળાનો આજથી પ્રારંભ

ગુજરાત ના સૌથી લોકપ્રિય મેળામાં કાર્તિક પૂર્ણિમા ના મેળા ખુબજ મહત્ત્વ ધરાવે છે ધાર્મિક દ્રષ્ટિએ પણ તેનુ ઘણું મહત્વ છે.

દ્વાદશ જ્યોતિર્લિંગમાં આધ જ્યોતિર્લિંગોમા આધ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવને સાંનિધ્યમાં મા દર વર્ષે કારતક સુદ એકાદશી થી કાર્તિક પૂર્ણિમાં સુધી પાંચ દિવસ સુધી મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે 11નવેમ્બર થી 15 નવેમ્બર સુધી પાંચ દિવસ યોજનાર મેળા ને આવતીકાલે થી ખુલ્લા મુકવામાં આવે છે.

સોમનાથ આ મેળા ને ઐતિહાસિક રીતે જોવા જઈએ તો મહાભારતનાં અને પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ ભગવાન શિવ ત્રિપુર નામના અસુરના લોહ રૌપ્ય અને સુવર્ણ નિમિત્તે ત્રણ નગરનો બાળીને નાશ કર્યો હતો. તે દિવસ કાર્તિકિ પૂર્ણિમાંના હતો. તે દિવસે અસુરો ના કષ્ટમાંથી મુક્તિ મળતા ત્રણે લોકમા મહા ઉત્સવ થયો હતો તેની યાદમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળાનુ આયોજન કરે છે. કાર્તિકી પૂર્ણિમાંના ત્રિપુરારિ પૂર્ણિમાંના દિવસનું અા એક અનેરૂં મહત્વ એ છે કે પ્રભાસમા ભગવાન શિવનું મંદિર સોમનાથ મહામેરૂપ્રસાદ શિખર ઉપર કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે. જાણે ભગવાન શિવે તેને ખરેખર મસ્તક પર ધારણ કર્યો હોય તેવુ દ્વષ્યમાન થાય છે. આમ આ મેળાની શરૂઆત સોમનાથ ટ્રસ્ટ દ્વારા 27 ફેબ્રુઆરી 1955 ના રોજ મળેલી સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠકમાં ઠરાવ મુજબ ટ્રસ્ટી ક. મામુન્સીજીનાં પ્રસ્તાવથી એવું નક્કી કરવામાં આવ્યુ કે કાર્તિક પૂર્ણિમા એ દર વરસ મોટા મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ કરવું ત્યારથી આ મેળાનુ પ્રતિવર્ષ આયોજન થાય છે જે લોક મનોરંજન સાથે ધાર્મીક પરંપરા ને પણ જાળવી રાખે છે.

આમ આ વર્ષે મહા વાવાઝોડાની અસરના લીધે તા 8 નવેમ્બર થી 11નવેમ્બર સુધી સોમનાથ નો મેળો યોજાવાનો હતો પણ મહા વાવાઝોડાના લીધે તે તારીખ રદ કરવામાં આવી હતી અને 11નવેમ્બર થી 15નવેમ્બર સુધી હવે સોમનાથ મા કાર્તિક પૂર્ણિમા ના પાંચ દિવસના મેળા હિરણનદીના કાંઠે આવેલ સોમનાથ ટ્રસ્ટ ના મેદાનમાં યોજવાનો છે. ત્યારે હાલમાં આ મેળાને લઈને આ મેદાન ઉપર સ્ટોલ તેમજ રાઇટઝ ઉભા કરી દેવામાં આવ્યા છે.

અને આવતીકાલ સાંજના પાંચ વાગ્યા ના સમય દરમિયાન આ મેળાનું ઉદ્દઘાટન જિલ્લા કલેકટરના હસ્તે કરી અને ખુલ્લા રાખવામાં આવે છે. અને જેને લઈ ને પ્રભાસ પાટણ પોલીસ દ્વારા તમામ તૈયારી ઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

હિરણનાં કાંઠે ટ્રસ્ટનાં મેદાનમાં સ્ટોલ, રાઈટઝ ઉભા કરાયા. રાજેશ ભજગોતર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2CuODd7
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here