
ર્વ ક્રિકેટર ફારુખ એન્જિનિયરનું નિવેદન કે “ભારતીય ક્રિકેટના પસંદગીકાર વર્લ્ડકપ દરમિયાન અનુષ્કારને ચા આપી રહ્યાં હતા’ પર જોરદાર વિવાદ થયો છે. અનુષ્કાએ તેનો જવાબ આપ્યો. જવાબ પછી એન્જિનિયરે માફી માગી અને કહ્યું કે તે અનુષ્કાનું અપમાન કરવા માગતા નહોતા. આ સમગ્ર ઘટનાક્રમથી વિદેશી ટૂર દરમિયાન ક્રિકેટર્સની પત્ની-બાળકો સાથે જવાનો મામલો જોરશોરથી ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈના ફેમિલી ક્લોઝ રુલ અનુસાર કોઈ લાંબી સિરીઝ(એટલે કે એક દોઢ મહિના)ના દરમિયાન 15 દિવસ સુધી પરિવાર અને પત્ની ખેલાડી સાથે રહી શકે છે. જેના માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની જરૂરી નથી. ફક્ત ભારતમાં નહીં પણ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં પણ લગભગ આવો જ નિયમ છે. ભલે આ વખતે મામલો સિલેક્ર્ટ્સ અને પૂર્વ ક્રિકેટર વચ્ચે રસ્સાકસીનો હોય પણ અનુષ્કાને કારણ વિના તેમાં ઢસડવાનું કારણ સીધું અને સ્પષ્ટ છે. તે ક્રિકેટ ટીમના સુકાનીની પત્ની જરૂર છે પણ તે એક પ્રસિદ્ધ સેલિબ્રિટી પણ છે. આ પહેલા રોહિત શર્મા પર પોતાની પત્ની રિતિકા સચદેવને 15 દિવસથી વધુ સાથે રાખવાનો આરોપ લાગ્યો હતો. રિતિકા અનુષ્કા નથી એટલા માટે વિવાદ સામાન્ય રીતે પતી ગયો પણ અનુષ્કા અને ક્રિકેટના વિવાદ સામાન્ય રીતે જાહેરમાં આવતા રહે છે. વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન માટે પણ તેને જવાબદાર ઠેરવાઈ હતી જે કેટલી હદે યોગ્ય હતું તે જાણવા માટે કોઈપણ રીતે ક્રિકેટનું જ્ઞાન હોવું જરૂરી નથી. વિદેશી પ્રવાસ પર ભારતીય હાઈકમિશ્નર અને ટીમ ઈન્ડિયાના એક ફોટામાં અનુષ્કાની હાજરી પર લોકોને વાંધો હતો. વાંધો એ હતો કે ફોટામાં ખેલાડીઓ કરતાં વધારે મહત્ત્વ અનુષ્કાને અપાયું હતું. સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થનાર અનુષ્કા માટે વિરાટની સાથે તેમની ક્રિકેટ દુનિયા સાથે જોડાવું સામાન્ય રીતે વિવાદોનું કારણ બન્યું છે. આ સોશિયલ મીડિયાની ઘટના હતી જ્યારે રોહિત શર્માએ અનુષ્કાને ટ્વિટર પર અનફોલો કરી અને તે ચર્ચામાં આવી ગયા. શ્રીલંકા મેચ દરમિયાન અનુષ્કાને એમ પૂછવા પર ટ્રોલ કરાઈ કે ચોગ્ગો ફટકારવાનો સિગ્નલ શું હોય છે. અનુષ્કા અને ક્રિકેટના આ વિવાદ કેટલા યોગ્ય છે અને કેટલા ફક્ત તેમના સેલિબ્રિટી સ્ટેટસ સાથે મફત મળતી ભેટ તેમાં ફેર અને તર્ક બંને કરવા જરૂરી હશે.
પૂ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N92R9R
via
IFTTT
No comments:
Post a Comment