
સીટથી ઊઠું છું તો તણાવ ત્યાં જ છોડી દઉં છું...
નવી દિલ્હી | અયોધ્યા કેસમાં શનિવારે રજાના દિવસે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. આ કેસ અત્યંત સંવેદનશીલ હોવાની સાથે સાથે જૂનો પણ છે. અયોધ્યા કેસ 1950માં સુપ્રીમકોર્ટની રચના પહેલાનો છે. ચીફ જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યાં છે. તેનાથી 8 દિવસ પહેલા તેમણે એવો ચુકાદો આપ્યો જેનાથી તેમનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું. 40 દિવસ ચાલેલી મેરેથોન સુનાવણી બાદ તેમણે ચુકાદો આપ્યો. આ ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ એસ.એ.બોબડે પણ હતા જે 18 નવેમ્બર પછી સીજેઆઈ તરીકેની જવાબદારી સંભાળશે. આટલા મોટા ચુકાદા સમયે તણાવ અંગે જસ્ટિસ બોબડે કહે છે કે તણાવનો સવાલ જ નથી. જે ક્ષણે પોતાની સીટ પરથી ઊઠું છું, તણાવ ત્યારે ત્યાં જ છોડી દઉં છું. જ્યારે જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નજીર અન્ય બે જજોના હટ્યા બાદ બેન્ચમાં સામેલ થયા હતા. તે ઉપરાંત જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ પણ બેન્ચમાં સામેલ હતા.
કેમેરાની નજરે
અયોધ્યાની શેરીઓમાં તહેનાત સુરક્ષા ટુકડી અને નીચે તસવીરમાં રમતાં બટુક.
સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદમાં શનિવારે ઐતિહાસિક ચુકાદો આપી દીધો. સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવ્યાના વર્ષો પહેલાં છંછેડાયેલા આ વિવાદ પર હવે વિરામ લાગી ગયો છે. ધાર્મિક કેસમાં જસ્ટિસ નજીરની માગ સૌથી વધુ રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યાં છે. તેનાથી 8 દિવસ પહેલાં જ તેમણે એવો ચુકાદો સંભળાવ્યો જેનાથી તેમનું નામ ઈતિહાસમાં નોંધાવી લીધું. ચુકાદા પછી સીજેઆઈએ આ ગ્રૂપ ફોટો પડાવ્યો.
સુપ્રીમકોર્ટમાં અયોધ્યામાં વિવાદિત સ્થળ રામ જન્મભૂમિ ન્યાસને સોંપાયાના આદેશ પછી શંખ વગાડી ખુશી વ્યક્ત કરતાં લોકો.
દેશની ન્યાય પ્રક્રિયાની શ્રેષ્ઠતા જાળવી રાખવા બદલ સુપ્રીમ કોર્ટને સલામ કરીએ છીએ...
હું સાચો સાબિત થયો, ધન્યતા અનુભવું છું
હું દેશના લોકો સાથે મળીને સુપ્રીમકોર્ટના 5 જજની બંધારણ બેન્ચને આવકારું છું. હું સાચો સાબિત થયો. ધન્યતા અનુભવી રહ્યો છું કે સુપ્રીમકોર્ટે મંદિરનિર્માણનો માર્ગ મોકળો કરતા સર્વસંમતિથી ચુકાદો આપ્યો.
- લાલકૃષ્ણ અડવાણી, વરિષ્ઠ નેતા, ભાજપ
હિન્દુ-મુસ્લિમની વાત હવે બંધ થવી જોઇએ
અયોધ્યા મામલો હવે આગળ ન વધવો જોઇએ. હવે દેશમાં સાંપ્રદાયિક તણાવને સ્થાન નહીં હોય અને આવા મુદ્દાને હવા નહીં અપાય. દેશ કાયદા અને બંધારણના અમલ પર ચાલે છે. હિન્દુ-મુસ્લિમની વાત બંધ થવી જોઇએ.
- સૈયદ અહેમદ બુખારી, શાહી ઇમામ, જામા મસ્જિદ, દિલ્હી
ન્યાયિક પ્રક્રિયામાં સૌને વિશ્વાસ, શાંતિ જાળવી રાખો
ભારત લોકશાહી દેશ છે. સૌ દેશવાસીઓએ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સ્વીકારવો જોઇએ. ન્યાયિક પ્રક્રિયામાં આપણને સૌને વિશ્વાસ છે. લોકો પરસ્પર શાંતિ-એકતા જાળવી રાખે.
- નીતિન ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી
ઐતિહાસિક ચુકાદા પર શાંતિ-સૌહાર્દ જળવાઇ રહે
આ એક ઐતિહાસિક ચુકાદો છે, જેને હું આવકારું છું. આ કેસ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. હવે કોઇ નિષ્કર્ષ પર પહોંચ્યો છે. સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઇ રહેવા જોઇએ.
- શ્રી શ્રી રવિશંકર, આધ્યાત્મિક ગુરુ
5 માણસ, 1.3 અબજ લોકો અને શ્રેષ્ઠ ન્યાય વ્યવસ્થા
5 માણસ અને એક એવો નિર્ણય કે જેની 1.3 અબજ લોકો રાહ જોતા હતા. આ બેન્ચમાં હોવા માટે અસાધારણ હિંમત જોઇએ અને આ નિર્ણય પર પહોંચવા માટે અવિશ્વસનીય દિમાગ. શ્રેષ્ઠ ન્યાયપ્રક્રિયા માટે સુપ્રીમકોર્ટને સલામ. - આનંદ મહિન્દ્રા
કોર્ટનો ચુકાદો સૌને ગમે તે શક્ય નથી
અદાલતનો કોઇ પણ ચુકાદો સૌને ગમે તે શક્ય નથી. દુનિયાના ઇતિહાસમાં કોઇ પણ ચુકાદાથી કેટલાક લોકો ખુશ થાય છે અને કેટલાક નહીં પણ દેશની સૌથી મોટી અદાલતનો ચુકાદો ચુપચાપ માની લેવાય એ જ સભ્ય સમાજની જવાબદારી છે.
- જાવેદ અખ્તર, ગીતકાર
5 એકર જમીનની ઓફર ફગાવી દેવી જોઇએ
આપણે મસ્જિદ માટે 5 એકર જમીનની ઓફર ફગાવી દેવી જોઇએ. સુપ્રીમકોર્ટ સુપ્રીમ જરૂર છે પણ ઇનફિલેબલ એટલે કે અચૂક નથી. જો 1992ની 6 ડિસેમ્બરે મસ્જિદ ન તોડી પડાઇ હોત તો પણ સુપ્રીમકોર્ટનો ચુકાદો આ જ હોત?
- અસદુદ્દીન ઓવૈસી, પ્રમુખ, એઆઇએમઆઇએમ
લાખો કાર્યકરોનાં બલિદાનને સલામ
સુપ્રીમકોર્ટનો ચુકાદો લાખો કાર્યકરોના બલિદાનને સલામ છે. હિન્દુઓ 450 વર્ષથી આ સ્થળે મંદિર બનાવવાની માગ કરી રહ્યા હતા. લાખો હિન્દુઓએ તેના માટે જીવનત્યાગ કર્યો છે.
- પ્રવીણ તોગડિયા, પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, વિહિપ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NwXz7Y
via IFTTT
No comments:
Post a Comment