
આ હતું સિદ્ધાર્થનું ટ્વિટ
શોના નિર્માતા સિદ્ધાર્થે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘કેબીસી 11’ના સવાલમાં છત્રપતિ શિવાજી મહારાજનો અપમાન કરવાનો કોઈ હેતુ ન હતો. આ સીઝનમાં એવા અનેક સવાલ આવ્યા છે જેમાં બધાના નામને તેમના આખા સંબોધન સાથે સામેલ કરવામાં આવ્યા છે. અજાણતા થયેલી પોતાની ભૂલ માટે અમે માફી માંગીએ છીએ.’
શ્રેષ્ઠ શરૂઆત...
10 કરોડ કમાણી કરી આયુષ્માનની સૌથી મોટી ઓપનર બની ‘બાલા’
આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ પર શ્રેષ્ઠ શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે આશરે 10.15 કરોડની કમાણી કરી. ટ્રેડ એનાલિસ્ટ આ ફિલ્મની સફળતાનું કારણ તેની સ્ટ્રોન્ગ માઉથ પબ્લિસિટી અને આયુષ્યમાનની બ્રાન્ડ ઇમેજ જણાવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ તેની છેલ્લી હિટ ફિલ્મો ‘ડ્રીમ ગર્લ’, ‘આર્ટિકલ 15’ અને ‘બધાઈ હો’ છે.
તેમજ આયુષ્યમાને આ પ્રસંગે દર્શકોનો આભાર વ્યક્ત કરતા આ તસવીર શેર કરી છે. તેણે લખ્યું, ‘આજે આ ફિલ્મ મારી નથી. તમારી છે. આ કહાણી માત્ર ‘બાલા’ની નથી. બાલા જેવા એ તમામ લોકોની છે જે સ્વયંની શોધમાં છે. પ્રેમ માટે આભાર.’
જોલી એલએલબી 3 : સીરીઝના બંને પાર્ટ્સ હિટ થયા હતા
પહેલો જોલી અરશદ અને બીજો જોલી અક્ષય થર્ડ પાર્ટમાં સાથે મળીને કોમેડીનો ડોઝ આપશે
અમિત કર્ણ . મુંબઈ
મીટૂના આરોપી ફિલ્મકાર સુભાષ કપૂર માટે આ સમય રાહત આપનારો છે. પહેલા આમિર ખાને તેની સાથે ‘મોગુલ’ પર કામ કરવા માટે હા પાડી દીધી અને હવે તેની હિટ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘જોલી એલએલબી 3’ પણ શરૂ થવાની છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી બંને સાથે જ જોવા મળશે. બંનેએ આ ફ્રેન્ચાઇઝીની પહેલી અને બીજી ફિલ્મમાં કામ કર્યુ છે.
આ વાતની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરતા અરશદ વારસીએ જણાવ્યું,
 ‘અમે બધા જ આ ફ્રેન્ચાઇઝીની અપકમિંગ ફિલ્મ બનતા જોવા ઇચ્છીએ છીએ. બધા તેના છેલ્લા બે પાર્ટની સફળતાથી ઉત્સાહિત છે. આ ત્રીજા પાર્ટ માટે સુભાષે એવી કહાણી તૈયાર કરી છે જેમાં બે વકીલોની જરૂર છે. હવે તેમાં અમારા બંનેના પાત્રો વિરોધી છે કે સાથી એ તો આગળ જતા જ ખબર પડશે.
આ ફ્રેન્ચાઇઝીના બીજા પાર્ટમાં એટલે ન હતો અરશદ
‘જોલી એલએલબી’ના પહેલા પાર્ટની સફળતા પછી નેક્સ્ટ પાર્ટમાં હીરોને લઈને નિર્માતાઓ તરફથી કોલ આવ્યો હતો. તેને વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવા માટે મેન લીડ માટે અક્ષય કુમારને બોર્ડ પર લાવવામાં આવ્યો. લૉયર જોલીના રોલ માટે અરશદ એપ્ટ ચોઇસ હતા પરંતુ મેકર્સની ડિમાન્ડના કારણે સેકેન્ડ પાર્ટમાં અક્ષયને કાસ્ટ કરવામાં આવ્યો. આ બાબતને ત્યારે ખૂબ જ સમજદારીપૂર્વક ઉકેલવામાં આવી. અરશદના મનમાં પણ કોઈ કડવાશ ન હતી. હવે જ્યારે આ ફિલ્મનો ત્રીજો પાર્ટ શરૂ થઈ રહ્યો છે તો સુભાષે અરશદનો સાથ છોડ્યો નથી. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે સ્વયં અક્ષયે પણ અરશદના આ પ્રોજેક્ટ પર હોવાની સંમતિ દર્શાવી છે.
અભય સોના મોહપાત્રાના સપોર્ટમાં આવ્યો,
કહ્યું- સત્યનો સાથ આપવા બદલ આભાર
bollywood glamour
અનુ મલિકના ‘ઇન્ડિયન આઇડલ 9’માં જજ તરીકે કમબેક પછી સોના મોહપાત્રાએ તેના પર નિશાનો સાધ્યો છે. આ દરમિયાન સોનાની એક પોસ્ટ પર અભય દેઓલે ટ્વિટ કરી તેના સપોર્ટમાં હોવાની વાત કહી. તેને પોઝિટિવ સાઇન માનતા સોનાએ પોતાના એક ટ્વિટમાં અભયની પ્રશંસા કરી છે.
તેણે લખ્યું, ‘અભય ઇન્ડસ્ટ્રીના પહેલા કલાકાર છે જે અમને સપોર્ટ કરી રહ્યા છે. તે એવા વ્યક્તિ છે જે પોતાના વિવેકથી કામ લે છે અને પોતાનો માર્ગ સ્વયં બનાવે છે. પોતાની વાત પર કાયમ રહે છે. આભાર અને ખૂબ પ્રેમ. સાથે જ સત્યનો સાથ આપવા બદલ પણ આભાર.’
અક્ષય ‘સૂર્યવંશી’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો
અક્ષય કુમાર અત્યારે રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘સૂર્યવંશી’ના શૂટિંગમાં જોડાયેલો છે. હાલમાં જ તે એક સીનના શૂટિંગ દરમિયાન પોતાના હાથને ઇજા પહોંચાડી ચૂક્યો છે. તેને ડાબા હાથની નસો સાથે સંબંધિત સમસ્યા થઈ છે. જોકે, ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ટ્રીટમેન્ટ મળ્યા પછી તેણે શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું છે. આ ફિલ્મ આવતા વર્ષે 27 માર્ચના રિલીઝ થશે.
160 બાળ કલાકારોમાંથી ‘ઝલકી’ માટે આરતી સિલેક્ટ થઈ
ઈશ્કિયા ફ્રેન્ચાઇઝીની અપકમિંગ ફિલ્મ પણ ટૂંક સમયમાં
આ સિક્વલ સિવાય અરશદની એક અન્ય સિક્વલ પણ આવવાની છે. આ ‘ઈશ્કિયા’ ફ્રેન્ચાઇઝીની અપકમિંગ ફિલ્મ હશે. આ વિશે થોડા સમય પહેલા જ અરશદ અને વિશાલ ભારદ્વાજ વચ્ચે વાતચીત થઈ છે. તેને લઇને મેકર્સની ટીવી રાઇટર જયા મિશ્રા સાથે વાત ચાલી રહી છે. બાકી અરશદ અને નસીર બંને આ ફ્રેન્ચાઇઝની અપકમિંગ ફિલ્મ કરવા ઈચ્છે જ છે.
બાળ મજૂરી પર આધારિત ફિલ્મ ‘ઝલકી’ અત્યાર સુધી 14 ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાઈ ચૂકી છે અને તેને 13 પુરસ્કાર મળી ચૂક્યા છે. જોકે, ઓછા જ લોકો જાણે છે કે ફિલ્મમાં ‘ઝલકી’નો ટાઇટલ રોલ પ્લે કરનારી બાળ કલાકાર આરતી ઝાને 160 યુવતીઓમાંથી પસંદ કરવામાં આવી છે. આ વિશે નિર્માતા-નિર્દેશક બ્રહ્માનંદ સિંહ જણાવે છે, ‘ટાઇટલ રોલ માટે જુદા-જુદા કાસ્ટિંગ ડાયરેક્ટરે 160 બાળ કલાકારોને પસંદ કર્યા હતા. તેમાંથી 28ને અમે ફાઇનલ કર્યા. આ 28માંથી 12 અને 12માંથી 4ને પસંદ કરી તેમની સાથે અમે વર્કશોપ કર્યો. આ ચારેયમાંથી આરતી ઝાને સિલેક્ટ કરવામાં આવી. અમે ઓપ્શન તરીકે પણ કોઈને રાખવા ઈચ્છતા હતા કારણ કે મિર્જાપુરમાં 6 સપ્તાહ શૂટિંગ થવાનું હતું અને ત્યાંનું તાપમાન 45થી 48 ડિગ્રી હતું. જોકે, બધુ સારી રીતે થઈ ગયું.’ આ ફિલ્મ 14 નવેમ્બરના ઇન્ડિયામાં 300 સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે.
રાજકોટ, રવિવાર, 10 નવેમ્બર, 2019
જણાવી દિલની વાત...
બ્રેકઅપ પછી ઇલિયાનાએ થેરાપિસ્ટની મદદ લીધી હતી
પોતાની અપકમિંગ ફિલ્મ ‘પાગલપંતી’ના પ્રમોશનમાં વ્યસ્ત એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝે એક ઇન્ટરવ્યૂમાં પોતાના બ્રેકઅપ પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે થયેલા બ્રેકઅપ પછી તે સૌથી પહેલા થેરાપિસ્ટ પાસે ગઈ હતી.
ઇલિયાનાના કહેવા મુજબ,
 મારા થેરાપિસ્ટે મને આ કોમ્પ્લિમેન્ટ સ્વીકાર કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે જે પણ થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે. તેણે કહ્યું કે હું ખૂબ સારું કરી રહી છું. હું એન્ડ્ર્યૂને ભવિષ્ય માટે શુભેચ્છા આપું છું. બ્રેકઅપ પછી હું ક્યારેય પણ તેને નથી મળી.’
ઉલ્લેખનીય છે કે ઇલિયાના અને એન્ડ્ર્યૂ એક-બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. જોકે, બંનેએ ક્યારેય પણ પબ્લિકમાં પોતાના રિલેશનશિપ વિશે વાત નહોતી કરી પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેમની લવ પોસ્ટ આ વાતના પુરાવા રહ્યા છે.
| 15
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Nvq2ey
via IFTTT
No comments:
Post a Comment