અયોધ્યાના મહાત્મ્ય અંગે કોર્ટે વૃહદધર્મોત્તરા પુરાણનો ઉલ્લેખ કરીને કહ્યું કે-
અયોધ્યા મથુરા માયા કાશી કા ચી અવન્તિકા,
પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષ દાયિકા.
-અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવન્તિકા (ઉજ્જૈન) અને દ્વારાવતી (દ્વારકા) 7 સૌથી પવિત્ર નગરી છે.
રામ દિવ્ય લક્ષણો સાથે જન્મેલા
સુપ્રીમકોર્ટે ચુકાદામાં રામજી દિવ્ય લક્ષણો સાથે જન્મ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે વાલ્મીકિ રામાયણના બાલકાંડનો ઉલ્લેખ કરીને કહ્યું કે-
પ્રોદ્યમાને જગન્નાથં સર્વલોકમસ્કૃતમ,
કૌસલ્યાજનયદ્ રામં દિવ્યલક્ષ્ણસંયુતમ.
-કૌશલ્યાએ એવા પુત્રને જન્મ આપ્યો છે કે જે પૂરી દુનિયાનો સ્વામી છે. તેને સૌ પ્રેમ કરે છે અને તેનામાં દિવ્ય લક્ષણો છે.
સ્કંદપુરાણમાં જન્મસ્થળનો ઉલ્લેખ છે
સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડના પ્રસંગોનો ઉલ્લેખ કરી રામ જન્મસ્થળનું વર્ણન કરાયું છે-
તસ્માત્ સ્થાનત એશાને રામ જન્મ પ્રવર્તતે,
જન્મસ્થાનમિદં પ્રોક્તં મોક્ષાદિફલસાધનમ.
વિઘ્નેશ્વરાત પૂર્વ ભાગે વાસિષ્ઠાદુત્તરે તથા,
લૌમશાત્ પશ્ચિમે ભાગે જન્મસ્થાનં તત: સ્મૃતમ.
-તે સ્થળની ઉત્તર-પૂર્વમાં રામનું જન્મસ્થળ છે. આ પવિત્ર સ્થળ મોક્ષનું માધ્યમ છે. કહેવાય છે કે આ જન્મસ્થળ વિઘ્નેશ્વરાની પૂર્વે, વશિષ્ટની ઉત્તરે અને લૌમાસાની પશ્ચિમે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, લૌમાસા જ ઋણ મોચન ઘાટ છે.
ગુરુનાનક દેવજી અયોધ્યા ગયા હતા
સુપ્રીમકોર્ટના 5 જજની બેન્ચે ચુકાદામાં ગુરુનાનક દેવજીની અયોધ્યા યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો છે. બેન્ચે કહ્યું કે વિક્રમ સં. 1564 (ઇ.સ.1507)ની ભાદરવી પૂનમે ઇશ્વરનો સાક્ષાત્કાર થયા બાદ ગુરુનાનક દેવજીએ તીર્થયાત્રા પર નીકળવાનું નક્કી કર્યું. ત્યારે તેઓ દિલ્હી, હરિદ્વાર અને સુલતાનપુર થઇને અયોધ્યા ગયા. તેમને આ યાત્રામાં 3-4 વર્ષ લાગ્યા. તેઓ વિક્રમ સં. 1567-68 (ઇ.સ. 1510-11)માં રામ જન્મભૂમિ મંદિર જોવા ગયા. ત્યાં સુધીમાં બાબરે ભારત પર હુમલો નહોતો કર્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2KlwBhZ
via IFTTT
No comments:
Post a Comment