
ઊના તાલુકાનાં ગાંગડા સીમમાં જમીન ધરાવતા અને સંયુકત પરિવારમાં રહેતા કનુભાઇ હમીરભાઇ ગોહીલે 20 દિવસ પહેલા કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કનુભાઇની વિધવા પત્નિ અનકબેન (ઉ.વ.35) તેમજ તેમનો એકનો એક પુત્ર મહર્ષિ (ઉ.વ.11) તેની માતા સાથે વાડીમા કામ કરતા હતા. એ વખતે અચાનક જ અનકબેનના જેઠ પ્રતાપ હમીર ગોહીલ પણ વાડીએ આવી પહોચ્યાં હતાં. અને મહર્ષી સાથે વાતો કરી હતી. પરંતુ બાદમાં તેણે અચાનક અનકબેન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં પ્રતાપે વાડીમા રહેલ લોખંડના પાઇપ તથા ધોકા વડે પહેલા અનકબેન પર જીવલેણ હુમલો કરી મારવા લાગ્યો હતો. માતાને લોહીલોહાણ હાલતમાં જોઇ પુત્ર મહર્ષી તેને બચાવવા વચ્ચે પડતા પ્રતાપે તેને પણ માથાના ભાગે ફટકા માર્યા હતાં. ગણતરીની મિનીટોમાં પ્રતાપે ખૂની ખેલ ખેલી બન્ને મૃતદેહ સામે થોડીવાર બેસી રહ્યો હતો. અને બાદમાં બન્ને મૃતદેહને પોતાની વાડીમાં વાવેલા કપાસના પાક વચ્ચે લોહીલુહાણ હાલતમાં ઢસડી અલગ અલગ સ્થળ પર ફેંકી દઇ ત્યાંથી નાશી ગયો હતો. બાદમાં ફરી વખત સાજના સમયે પ્રતાપ પોતાની વાડીએ આવ્યો હતો. અને તેના મોટા ભાઇની હાજરીમાં સનખડા ગામે રહેતા અનકબેનના ભાઇ લખુભાઇ કનુભાઇ ઝાલાને મોબાઇલ ફોન કરી જણાવ્યું કે મે તમારા બેન તથા ભાણેજને મારી નાંખ્યા છે. અને તમે વાડીએ આવી જાવ. જેથી લખુભાઇ, તેના ભાઇ અને પિતા ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને પોલીસને જાણ કરતાં પોલીસ બનાવનાં સ્થળે દોડી ગઇ હતી. પ્રતાપે જાતેજ માતા-પુત્રનાં મૃતદેહો બતાવ્યાં હતાં.
પ્રતાપે કનકબેનને ઇજા તેનું મોઢું છુંદી નાંખ્યું હતું. અનકબેનના લગ્ન કનુભાઇ હમીરભાઇ ગોહીલ સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર મહર્ષી છે. અનકબેનને લગ્ન બાદ પણ જીઆરડીમા ફરજ બજાવતા અને સનખડા ગામે રહેતા મહેન્દ્ર રામસિંહ રાઠોડ સાથે આડા સબંધ હોવાની વાતો સનખડા અને ગાંગડા ગામમાં જગજાહેર હોઇ એ વાત તેમના જેઠ પ્રતાપ સુધી પહોંચતા તેણે અનકબેન અને મહર્ષિની હત્યા કર્યાનું મૃતકનાં ભાઇ લખુભા ઝાલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે પ્રતાપની ધરપકડ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Q5BMG7
via
IFTTT
No comments:
Post a Comment