દ્વારકાના સમુદ્ર કિનારે, બિચ પર આજથી પર્યટકો પ્રવાસ કરી શકશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, November 7, 2019

દ્વારકાના સમુદ્ર કિનારે, બિચ પર આજથી પર્યટકો પ્રવાસ કરી શકશે

ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં મહા વાવાઝોડાનો ભય સતાવી રહ્યો હતો.હવામાન વિભાગની આગાહીના અનુસંધાને તા.7 સુધી દ્વારકા પંથકમાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.પરિણામે દ્વારકા કલેક્ટર દ્વારા બિચ તેમજ દરિયાકાઠાના વિસ્તાર પર પર્યટકોને જવા પર પ્રતિબંધ મુક્યો હતો.પરંતુ હાલ દિવના દરિયામાં દક્ષિણ દિશામાં વાવાઝોડાએ દિશા બદલતા દ્વારકા પરથી વાવાઝોડાનો ખતરો ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જેથી યાત્રીકોને અવર જવર માટે પ્રતિબંધ હટાવાયો છે.આજથી દ્વાકાના બિચ પર તેમજ સમુદ્રકિનારે પર્યટકો લટાર મારી શક્શે.

મહા વાવાઝોડાની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી તંત્ર એલર્ટ થઇ ગયું હતું.સમુદ્રમાં રહેલ તમામ માચ્છીમારોને પણ પરત બોલાવી લેવાઇ હતી.વાવાઝોડુ ત્રાટકવાના ભયનાલીધે કલેક્ટરે સમુદ્ર કિનારે તેમજ બિચ પર પ્રયર્ટકોને જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું.પરંતુ હાલ વાવાઝોડાનો દ્વારકા પરથી ખતરો ટળતા પ્રતિબંધ હટાવી લેવાયો છે.આજથી પર્યટકો દ્વારકાના બિચ તેમજ સમુદ્ર કીનારે આરામથી જઇ શક્શે.જો કે,હાલ એલર્ટને લઇ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા બેટદ્વારકા ફેરીબોટ સર્વિસને ચાલુ કરાઇ નથી.વાતાવરણ સામાન્ય થતા પુન: બેટદ્વારકા ફેરીબોટ સર્વિસ ચાલુ કરાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2NuefNz
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here