
ત દિવસોમાં દિવાળી ઉત્સવે તમામને સક્રિય રાખ્યા. બજારોમાં ભીડ ઉમટી, લક્ષ્મીને પૂજવામાં આવ્યાં અને હવે દેવ પ્રબોધની એકાદશીનો દિવસ આવી ગયો. હિન્દુ સંસ્કૃતિ મુજબ આજે પરમાત્મા જાગે છે. તો ચાલો આપણે પણ જાગી જઇએ. આપણે એક એવી ઊંઘમાં હોઇએ છીએ, જે જાગતા પણ ઊંઘ જેવી છે. ગત દિવસોમાં ધન મામલે આટલી બધી દોડ થઇ તો શું ગરીબી મટી ગઇ? આજે દેવ પ્રબોધની એકાદશીએ પોતાની અંદર જાગૃતિ લાવો કે આપણે સમજીએ કે ગરીબીનું એક રુપ કામચોરી પણ છે. મનુષ્ય કેટલા કારણોથી ગરીબ છે? કાં તો તે યોગ્ય નથી અથવા તેને યોગ્ય અવસર મળ્યો હોય. કેટલાક લોકો દુર્ભાગ્યના કારણે તો કેટલાક અભાવ અને જરૂરિયાતનું અંતર નહીં સમજવાને લીધે ગરીબ છે. કેટલાકના જીવનમાં જરૂરિયાતની અપેક્ષિત માગ વધુ છે, તેથી ગરીબ છે. આ બધાની ઉપર એ ગરીબ પણ છે જે કામચોર છે. દેશમાં કામચોરોની ફોજ છે. સરકારોએ સુવિધાઓ તો એવી-એવી આપી દીધી છે કે લોકોની જરૂરિયાત પુરી થઇ હોય કે ન થઇ હોય, તેઓ કામચોર જરૂર થઇ ગયા છે. કૃષિ વિજ્ઞાની પ્રયોગ કરે છે કે પાક ઝડપથી થાય, કિટાણુનાશક રાખવો હોય તો ધ્વનિ વિકિરણ (રેડિએશ સાઉન્ડ)નો ઉપયોગ કરાય છે.
ગ
જીવન-પથ
પં. વિજયશંકર મહેતા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32qHoNO
via
IFTTT
No comments:
Post a Comment