આ પ્રકારે જ ગોવા સ્થિત આઇસીએઆર - કેન્દ્રીય તટીય કૃષિ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોની એક ટીમે તાજેતરમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી કેમકે તેઓને લાગે છે કે આ વિસ્તારની જલવાયુ પરિસ્થિતિઓ અને રેતાળ માટીની સાથે મળીને તટીય જિલ્લાઓના કેટલાંક હિસ્સામાં ખજુરની ખેતીની માટે અનુકુળ બની શકે છે. જો કે આવનારો સમય જ બતાવશે આ બંને નેક ઇરાદાનું પરિણામ શું નીકળે છે, કારણ કે આ પ્રકારનું કામ કરવા માટે ઘણી એજન્સીઓ સામેલ છે, પરંતુ અનુભવ જણાવે છે કે નાના પાયા પર કંઇક સારૂ કરવાનો વ્યક્તિગત પ્રયાસ હંમેશા સારાપણા સાથે પુર્ણ થાય છે. હવે આ અનોખા ઉદાહરણને જ લઇ લો. ગત અઠવાડિયે પુનાના બાવધનમાં રહેતા ધનશ્રી શિંદેએ પોતાને ત્યાં કામ કરવા વાળી 28 વર્ષીય કામવાળી બાઇ ગીતા કાલેને ઉદાસ જોઇ. તે દિવસે તે પોતાને એકલી અને કમજોર અનુભવી રહી હતી કેમકે તેનું એક કામ છુટી ગયું હતું. ત્રણ બાળકોની માતાનો પતિ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે પરંતુ ઘર ચલાવવા માટે જરૂરી હતું કે ગીતાને નિયમિત રૂપથી કામ મળતું રહે. આ સમય હતો કે જ્યારે ધનશ્રીને આઇડિયા આવ્યો કે શા માટે ગીતાની માટે કોર્પોરેટ સ્ટાઇલ એક સાફ-સુથરૂ વિઝિંટિગ કાર્ડ ડિઝાઇન કરવામાં આવે. તેણે આવું જ કર્યું કે અને કાર્ડ બનાવ્યું જેના પર લખેલું હતું કે ‘ઘર કામ મઉશી ઇન બાવધન, આધાર કાર્ડ વેરિફાઇડ. આ કાર્ડમાં ગીતાના મોબાઇલ નંબરની સાથે વિવિધ ઘરના કામો જેવા કે વાસણ સાફ કરવા, કપડા ધોવા, શાકભાજી કાપવું અને સાફ-સફાઇના રેટ્સ પણ લખવામાં આવ્યા છે. આઇડિયાને આગળ વધારીને આ કાર્ડને દરેક બિલ્ડિંગના સુરક્ષાકર્મીઓને આપવાનું હતુ આથી ગીતાને વધુ કામ મળી શકે. ફક્ત બે દિવસમાં, કોઇએ વિઝિટિંગ કાર્ડનો ફોટો ક્લિક કર્યો અને તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધુ અને અચાનક જ લોકો વચ્ચે વાયરલ થઇ ગયું. હાલત હવે એવી છે કે ગીતાએ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરીને રાખ્યો છે કેમકે સતત વાગી રહ્યો છે. લોકો તેને ફોન કરીને વધાઇ આપી રહ્યા છે કે તેણે એક કામવાળી બાઇના કામને ઉતમ ડિઝાઇન અને સુકુન દેનાર રંગોથી રંગાયેલુ વિઝિંટગ કાર્ડની મદદથી નવા મુકામ પર પહોંચાડ્યું છે. આ કાર્ડને કારણે ફક્ત જૂના કામ મળી ગયા એટલું જ નહિ, હવે તો નાગપુર અને મુંબઇ જેવા શહેરમાંથી કામની ઓફર આવી રહી છે. ધનશ્રી આ કાર્ડને બનાવવા માટે વિઝિટંગ કાર્ડ ટેમ્પલેટ વાળી એક વેબસાઇટ પર ગઇ અને ગીતાની માટે ફક્ત કેટલીક મિનીટ્સમાં એક કાર્ડ બનાવ્યું અને તેનું પરિણામ જુઓ - આ ગીતા મીડિયામાં છવાય ગઇ છે.
ફંડા ઘણો સાદો અને સરળ છે કે જો કોઇ પીડિતની મદદ કરવા માટે તમારો ઇરાદો સારો છે, તો પછી પુરી ‘કાયનાત’મદદ કરવા માટે આ સુનિશ્ચિત કરે છે કે પરિણામ સારૂ હોય.
બં
મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે
9190000071 પર મિસ કોલ કરો
મેનેજમેન્ટ ફંડા
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32vRAo8
via IFTTT
No comments:
Post a Comment