‘આસ્થાના આ મહાપર્વને બધાની જેમ અમારે ત્યાં પણ ખૂબ આસ્થા સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. પટણામાં અમારા દાદી તો 80 વર્ષની ઉંમર સુધી સ્વયં જ બધા રીત-રિવાજ પૂરા કરતાં હતાં. વાસ્તવમાં તેમની તેમાં ખૂબ આસ્થા હતી. દાદી પછી હવે મમ્મી પણ આ તહેવારને એટલી જ શ્રદ્ધા સાથે સેલિબ્રેટ કરે છે. જ્યાં સુધી આ તહેવાર ચાલે છે ત્યાં સુધી અમારા ઘરે લસણ-ડુંગળી પણ બંધ રહે છે. અમારો આખો પરિવાર તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એવું ચોક્કસ છે કે કામમાં વ્યસ્ત હોવાના કારણે બધા લોકો ઘણી વખત બહાર પણ રહે છે પરંતુ કોઈ પણ સંજોગોમાં છઠના દિવસે અમે ભેગા થઈ જઈએ છીએ. અમે આ પર્વ હવે મુંબઈના ઘરે જ સેલિબ્રેટ કરીએ છીએ. તે એટલે કારણ કે જૂહુ બીચ પર જઈને પૂજા કરવી અમારા માટે મુશ્કેલ હોય છે. ત્યાં લોકોની ભીડ ભેગી થઈ જાય છે. ઘરની છતથી જુહૂ બીચ તરફ ઉગતા સૂરજ અને ઢળતા સૂરજ બંને દેખાઈ જાય છે. તેમને મમ્મી જળ અર્પણ કરે છે. દાદી અને મમ્મીની આ તહેવારમાં આસ્થાના કારણે જ પરિવારમાં સુખ-સમૃદ્ધિ બનેલી છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2r0qA38
via IFTTT
No comments:
Post a Comment