અયોધ્યા કેસમાં 7 દિવસમાં ગમે ત્યારે ચુકાદો, મંદિરો-મસ્જિદોને શાંતિ જાળવવા અપીલ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

અયોધ્યા કેસમાં 7 દિવસમાં ગમે ત્યારે ચુકાદો, મંદિરો-મસ્જિદોને શાંતિ જાળવવા અપીલ


અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમકોર્ટનો ચુકાદો હવે ગમે તે દિવસે આવી શકે છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ 17 નવેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે. તેમના હવે 7 વર્કિંગ ડે બાકી છે. એટલે કે આગામી 7 દિવસમાં કોઈ પણ દિવસે પાંચ જજોની બેન્ચ ચુકાદો આપી શકે છે. તે પહેલાં યુપી સરકાર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરાઇ છે. કોમી સદભાવ જાળવી રાખવા માટે અલગ અલગ જિલ્લામાં મંદિરો અને મસ્જિદો અને ધાર્મિક સંગઠન અને સમિતિઓ શાંતિ જાળવવા અપીલ કરી રહ્યાં છે. રવિવારે મેરઠ શહેરની 6 મસ્જિદોએ શાંતિ જાળવવા અપીલ કરી હતી. દારુલ ઉલૂમ દેવબંધ ઉલેમાની આઈમા સંસ્થાએ પણ લોકોને સુપ્રીમકોર્ટના ચુકાદાનું સ્વાગત કરવાની અપીલ કરી હતી. ભાજપે પણ પોતાની પાર્ટીના તમામ પ્રવક્તાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને કહ્યું કે તે અયોધ્યા મુદ્દે સંયમ વર્તે અને ટિપ્પણીઓ ના કરે. સોમવારે યુપીના તમામ જિલ્લાના ઈન્ટેલિજન્સ અને એલઆઇયુ અધિકારીઓની લખનઉમાં બેઠક યોજાઈ હતી.

ભાષણ, ધરણાં, દેખાવ નહીં થાય : અયોધ્યા અંગે ચુકાદો આવતાં પહેલાં શિયા વક્ફ બોર્ડે તમામ વક્ફ સંપત્તિઓ પર થનારાં આયોજનો પર બેન મૂક્યો છે. યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ વક્ફ બોર્ડ હસ્તકની જગ્યાઓ જેમ કે ઈમામવાડા મસ્જિદ, દરગાહ કાર્યાલય, કબ્રસ્તાન, મજાર વગેરે પર અયોધ્યા મુદ્દે કોઈ પણ પ્રકારનાં ભાષણ કે ધરણાં-દેખાવ કરવા પર પ્રતિબંધ મૂકતો આદેશ આપ્યો છે. જો કોઈ આદેશનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.

અયોધ્યામાં આજથી ચૌદ કોસી પરિક્રમા, જુલૂસ પ્રદર્શન પર પ્રતિબંધ

અયોધ્યા

16 હજાર ડિજિટલ વોલેન્ટિયર્સ શંકાસ્પદ પ્રવૃતિઓની સૂચના પોલીસને આપી રહ્યાં છે

1992માં ગૃહ સચિવ રહેલા ગોડબોલેએ કહ્યું - રાજીવ ઈચ્છતા તો ઉપાય મળી જાત

1992માં બાબરી શહીદીના સમયે કેન્દ્રીય ગૃહ સચિવ રહેલા માધવ ગોડબોલેએ કહ્યું કે રાજીવ ગાંધી સક્રિયતા બતાવતા તો સમાધાન મળી જાત. રાજીવે બાબરી મસ્જિદનું તાળું ખોલાવ્યો હતો. તેમના વડાપ્રધાન પદે રહેતા મંદિરનો પાયો નખાયો એટલા માટે મેં તેમને આ આંદોલનના બીજા કારસેવક કહ્યા હતા. પહેલા કારસેવક તે સમયે અયોધ્યાના જિલ્લાધિકારી હતા. અમે કલમ 355 લાગુ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જોકે તત્કાલીન પીએમ નરસિંહ રાવને શંકા હતી કે તેમને આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો અધિકાર છે કે નહીં?

ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લાના ઈન્ટેલિજન્સ અને એલઆઈયુ અધિકારીઓની લખનઉમાં બેઠક

અયોધ્યા આવતા તમામ રસ્તાઓ પર પોલીસ ચેકિંગ કરી રહી છે.

128 અધિકારી અયોધ્યા પહોંચ્યા, ફોર્સના રોકાણ માટે 150 કોલેજમાં વ્યવસ્થા

અયોધ્યા એએસપી અનુસાર સીસીટીવી, ડ્રોન કેમેરા, ડોગ સ્કવોડ, એટીએસ ટુકડી, બીડીએસ, એલઆઈયૂ એલર્ટ પર છે. અયોધ્યાને જોડતાં તમામ માર્ગો પર બેરિકેડ લગાવાયા છે અને ચેકિંગ ચાલુ છે.

બહારના ફોર્સ અયોધ્યા પહોંચી રહ્યા છે. તેમાં કેન્દ્રીય સુરક્ષાદળ વધુ છે. તેમના રોકાણ માટે 150થી વધુ કોલેજોની પસંદગી કરાઈ છે. 128 પોલીસ અધિકારી બહારથી અહીં આવી રહ્યાં છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તારિક મન્સૂરે યુનિ. સાથે સંકળાયેલા લોકોને અયોધ્યા મુદ્દે કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવા કહ્યું છે.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ સાધુ સંતોને કોર્ટનો નિર્ણય આવવા પર શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી છે.

યુપીના ડીજીપી ઓ.પી.સિંહે કહ્યું કે અયોધ્યા મામલે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારા વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ નોંધાશે. અમારું ગુપ્તચર તંત્ર તૈયાર છે. એક ટીમ ચાંપતી નજર રાખી રહી છે. અયોધ્યા તંત્રએ જિલ્લામાં તમામ પ્રકારના જુલૂસ, પ્રદર્શન, આયોજનો પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધની જાહેરાત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - ayodhya case appeals anytime within 7 days peace to temples and mosques 063518
Div News - ayodhya case appeals anytime within 7 days peace to temples and mosques 063518


from Divya Bhaskar https://ift.tt/2NDy83y
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here