મહા વાવાઝોડું અરબી સમુદ્રમાં 220 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તેની તીવ્રતા ક્રમશઃ ઘટી જવાની સંભાવનાઓ છે. જો કે 7મીએ રાજકોટમાં રમાનારી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-20 મેચ રમાશે કે કેમ તે અંગે આશંકા સેવાઈ રહી છે. ભારતીય ટીમ સોમવારે રાજકોટ પહોંચી ગઈ છે. હાલ મહા વાવાઝોડું વેરાવળથી 680 કિલોમીટર, દીવથી 730 કિલોમીટર અને પોરબંદરથી 650 કિલોમીટરના અંતરે દરિયામાં છે. 7મી નવેમ્બરે વહેલી સવારે વાવાઝોડું કલાકના 80થી 90 કિલોમીટરની ઝડપે પવન સાથે દીવ- પોરબંદરની વચ્ચે લેન્ડફોલ થશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે. મહા વાવાઝોડાને કારણે રાજ્યના
...અનુસંધાન પાના નં. 12
દરિયાકિનારાના સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદ જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના છે.
મહા વાવાઝોડાની આફતની સ્થિતિ અંગે કેન્દ્રીય સચિવે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે વીડિયો કોન્ફરન્સથી માહિતી મેળવી મદદની ખાતરી આપી હતી. સીએમ રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલે પણ બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે વાવાઝોડાની તીવ્રતા દિન પ્રતિદિન ઘટી રહી છે. પરંતુ સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. રાજ્યમાં હાલ એનડીઆરએફની 15 ટીમ તહેનાત છે અને વધારાની 15 ટીમો આવી રહી છે. દરિયામાં માછીમારી માટે ગયેલી 12 હજાર બોટ પરત બોલાવી લેવાઇ છે જ્યારે 600 બોટ હજુ દરિયામાં છે જેને બનતી ઝડપથી પરત લવાઇ રહી છે.
હવામાન વિભાગ અને વહીવટી તંત્ર વચ્ચે સતત સંકલન કરાઇ રહ્યું છે. મીઠાના અગરિયાઓ, નીચાણવાળા વિસ્તારો, બેટ વિસ્તારો, બંદરો અને બાંકકામ સાઇટ તેમજ વરસાદમાં સંપર્ક વિહોણા થઇ જતા ગામડાઓ પ્રત્યે ખાસ આગોતરી સતર્કતા રાખવામાં આવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oNWL5l
via IFTTT
No comments:
Post a Comment