મુંબઈથી દિલ્હી સુધી દિવસભર વિવિધ નેતાઓની મુલાકાત છતાં મહારાષ્ટ્રમાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

મુંબઈથી દિલ્હી સુધી દિવસભર વિવિધ નેતાઓની મુલાકાત છતાં મહારાષ્ટ્રમાં


મુંબઈથી દિલ્હી સુધી દિવસભર વિવિધ નેતાઓની મુલાકાત છતાં મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગેનું સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે. ચૂંટણી પરિણામના 11 દિવસ પછી પણ ભાજપ કે કોંગ્રેસ પત્તા ખોલી રહ્યાં નથી. સોમવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો બીજીબાજુ એનસીપીના વડા શરદ પવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્રીજીબાજુ મુંબઈમાં શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. ફડણવીસે ...અનુસંધાન પાના નં. 12



રાજ્યમાં બની રહેલા નવા રાજકીય સમીકરણો અંગે કંઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અઢી વર્ષ પર શિવસેના અડી છે. ભાજપ હવે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને ચાલે છે. આગામી બે દિવસમાં સરકાર રચાવાની સંભાવના ઓછી છે. 8 નવેમ્બર સુધીમાં આ કોકડું ઉકેલાય તેમ મનાય છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે મુખ્યમંત્રીપદ અને મહત્ત્વના મંત્રાલય અંગે કોઈ સમજૂતી થશે નહીં. મહારાષ્ટ્રમાં વર્તમાન વિધાનસભાની મુદત 9 નવેમ્બરે પૂરી થાય છે. ત્યાં સુધીમાં જો નવા મુખ્યમંત્રી શપથ નહીં લે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાશે.

પવારે કહ્યું- સરકાર બનાવવાની જવાબદારી ભાજપની

સોનિયા ગાંધી સાથે મુલાકાત પછી એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની જવાબદારી ભાજપની છે. એક અહેવાલ એવો પણ છે કે શિવસેના એનસીપીના સંપર્કમાં છે. જો કે પવારે કહ્યું કે શિવસેનાએ હજુ સુધી તેમનો ટેકો માંગ્યો નથી. ભવિષ્યમાં શું થશે તે અંગે કહી શકાય નહીં.

રાઉતે કહ્યું- જેની પાસે બહુમતી હોય તે સરકાર બનાવે

રાજ્યપાલ સાથેની મુલાકાત પછી સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં અડચણ ઉભું કરતું નથી. જેની પાસે બહુમતી હોય તેને સરકાર બનાવવા દેવી જોઈએ. રાજ્યપાલ સાથે રાજકીય સહિત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી.

મરાઠી અખબારે રાઉતને વેતાળ કહ્યાં

આરએસએસ તરફ ઝુકાવ ધરાવનાર એક મરાઠી અખબારે શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉતની તુલના વેતાળ સાથે કરી હતી. નાગપુરથી પ્રકાશિત થતાં અખબાર તરુણ ભારતમાં લખ્યું છે કે રાઉત મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતિને સત્તા પર આવવાની સંભાવનામાં અચડણરૂપ છે. કોંગ્રેસ અને એનસીપીને સત્તાથી દૂર રાખવા બાળાસાહેબ ઠાકરેએ આખી જિંદગી લગાવી દીધી પરંતુ વેતાળ તેમના સપના ચકનાચૂર કરી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2rdVYvh
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here