
મહા વાવાઝોડા અંગે આગામી 6 અને 7 નવેમ્બર દરમિયાન હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ‘‘મહા’’ વાવાઝોડાની મહતમ અસર થવાની સંભાવના દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ છે. આ બંને દિવસ દરમિયાન ૬૦ થી ૭૦ કી.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા જણાાઈ રહી છે. આ દિવસો દરમિયાન વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટરે તાલુકા કક્ષાએ તા. 2 થી 10 નવેમ્બર સુધી રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવાની તાકીદ કરાઇ છે. જેના પગલે ધોરાજી પ્રાંતના નાયબ કલેક્ટર જી.વી.મીયાણીએ વાવાઝોડાની અસરના પગલે એલર્ટ રહેવા માટે તાલુકાના મામલતદારો, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, જીઈબી સહિતના તમામ અધિકારીઓની બેઠક બોલાવીને તમામ જરૂરી પગલાં લેવા તથા વાવાઝોડા સંદર્ભે સૂચના આપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33aKwPf
via
IFTTT
No comments:
Post a Comment