
જલારામ જયંતીના આગલે દિવસે જ વાંકાનેર શહેર ખાતે આવેલા ફળેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન જલારામ બાપાની મૂર્તિને આજે એક શખ્સ દ્વારા ખંડિત કરતાં ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. આ શખ્સ દ્વારા જલારામ બાપાની મૂર્તિ સાથો સાથ ત્યાંજ બિરાજમાન મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિને પણ ખંડિત કરતા ભાવિકોએ આરોપી વિરુદ્ધ વાંકાનેર શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર શહેર ખાતે આવેલા ફડેશ્વર મહાદેવ મંદિરમા બિરાજમાન સંત જલારામ બાપાની મૂર્તિનો ડાબો હાથ તથા ત્યાંજ બિરાજમાન મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પ્રકાશ વાઢેર નામના શખ્સ દ્વારા કાપી મુર્તિને ખંડિત કરતાં ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આરોપી પ્રકાશ વાઢેર માનસિક રીતે વિકૃત હોવાથી આ બનાવ બન્યાનું પણ જાણવા મળે છે. આ શખ્સ વિરુદ્ધ ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા ધાર્મિક લાગણી દુભાયાની વાંકાનેર શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવતાં વાંકાનેર શહેર પોલીસ દ્વારા તાત્કાલિક આરોપી
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NB1waM
via
IFTTT
No comments:
Post a Comment