
યોગીએ અયોધ્યા માટે રૂ. 226 કરોડની યોજનાઓ આપી, ફાઈવ સ્ટાર હોટલ પણ બનશે: અયોધ્યાથી ભાજપ ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તે કહ્યું કે, યોગીએ પહેલેથી જ અયોધ્યાના વિકાસ માટે વિચારી રાખ્યું હતું. 26 ઓક્ટોબરે અયોધ્યા માટે રૂ. 226 કરોડની યોજનાઓ જાહેર કરાઈ હતી. અહીં ઝડપથી ખાનગી કંપનીઓ થ્રી અને ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતી દસેક હોટલ બનાવશે. રામ કી પૈડીના વિકાસ માટે રૂ. 33 કરોડ અપાયા છે. અહીં 70 હેક્ટરમાં રામની 251 મીટર ઊંચી પ્રતિમા પણ બનશે.
આ તસવીર બનારસની છે. અહીં બારાવફાત જુલૂસમાં લોકો હાથમાં તિરંગો લઈને નીકળ્યા હતા. જુલૂસમાં એક એમ્બ્યુલન્સ ફસાતાં લોકોએ રસ્તો આપ્યો હતો.
69 વર્ષ જૂના રિપોર્ટને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાનો હિસ્સો બનાવ્યો
પવન કુમાર - નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે અયોધ્યા ચુકાદામાં કમિશનરના એ રિપોર્ટને સ્થાન આપ્યું, જેના કારણે હિંદુઓને બીજી વાર મૂળ સ્થાને પૂજાપાઠની મંજૂરી મળી છે. હકીકતમાં 1949માં મુસલમાનોને નમાજ પઢતા જ નહોતા રોકાયા, પરંતુ હિંદુઓના પૂજાપાઠ પણ બંધ કરાયા હતા. જ્યારે ગોપાલ સિંહ વિશારદે 1950માં વિવાદિત સ્થળે પૂજાપાઠ માટે મૂર્તિઓ નહીં હટાવવાની માંગ કરી હતી. એટલે ફૈઝાબાદ કોર્ટે એક કમિશનર નિયુક્ત કર્યો. એ વખતે કોર્ટ કમિશનરે હિંદુ મુસ્લિમ બંને પક્ષની હાજરીમાં વિવાદિત સ્થળનો એક રિપોર્ટ બનાવ્યો હતો. તેના આધારે કોર્ટને આ વિવાદ સમજવામાં મદદ મળી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qEOS2z
via IFTTT
No comments:
Post a Comment