યુપીના તમામ 34 સંવેદનશીલ જિલ્લામાં શાંતિ, અયોધ્યાના સાધુ-સંતોએ અંગકોરવાટની તર્જ પર દુનિયાનું સૌથી ભવ્ય રામમંદિર બનાવવાનું કહ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

યુપીના તમામ 34 સંવેદનશીલ જિલ્લામાં શાંતિ, અયોધ્યાના સાધુ-સંતોએ અંગકોરવાટની તર્જ પર દુનિયાનું સૌથી ભવ્ય રામમંદિર બનાવવાનું કહ્યું

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યા હવે મેકઓવર માટે તૈયાર છે. 67 એકર જમીન પર રામ મંદિરનીસાથે શું બનશે, 10 કિ.મી.ના દાયરામાં અયોધ્યા કેવી રીતે બદલાશે, તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંતો-મહંતોએ અયોધ્યાને દુનિયાના સૌથી ઉત્તમ ધાર્મિક સ્થળના રૂપમાં વિકસિત કરવા અને સૌથી ભવ્ય રામ મંદિર બનાવવાની માંગ કરી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, હવે અહીં કંબોડિયામાં આવેલા વિશ્વના સૌથી મોટા વિષ્ણુ મંદિરની તર્જ પર રામમંદિર બનવું જોઈએ. જેથી દુનિયા ભારતના સ્થાપત્ય અને સમૃદ્ધ વારસાને નવા રૂપમાં જુએ. મંદિર માટે પ્રસ્તાવિત ટ્રસ્ટે જનભાગીદારીથી ભંડોળ ભેગું કરવું જોઈએ. સોમનાથ ટ્રસ્ટની તર્જ પર તે અસ્તિત્વમાં આવ્યા પછી ઓનલાઈન એકાઉન્ટ બનાવીને ભંડોળ ભેગું કરે. દિગંબર અખાડાના મહંત સુરેશ દાસે કહ્યું કે, રામજન્મભૂમિ પર દુનિયાનું સૌથી મોટું મંદિર બનાવવું જોઈએ. સુરેશ દાસ, રામચંદ્ર પરમહંસના ઉત્તરાધિકારી છે. મહંત અવધેશ દાસ કહે છે કે, પ્રસ્તાવિત ટ્રસ્ટને વિશાળ રામમંદિરની સાથે સમગ્ર અયોધ્યાનું નિર્માણ કરવું જોઈએ.

યોગીએ અયોધ્યા માટે રૂ. 226 કરોડની યોજનાઓ આપી, ફાઈવ સ્ટાર હોટલ પણ બનશે: અયોધ્યાથી ભાજપ ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તે કહ્યું કે, યોગીએ પહેલેથી જ અયોધ્યાના વિકાસ માટે વિચારી રાખ્યું હતું. 26 ઓક્ટોબરે અયોધ્યા માટે રૂ. 226 કરોડની યોજનાઓ જાહેર કરાઈ હતી. અહીં ઝડપથી ખાનગી કંપનીઓ થ્રી અને ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતી દસેક હોટલ બનાવશે. રામ કી પૈડીના વિકાસ માટે રૂ. 33 કરોડ અપાયા છે. અહીં 70 હેક્ટરમાં રામની 251 મીટર ઊંચી પ્રતિમા પણ બનશે.

આ તસવીર બનારસની છે. અહીં બારાવફાત જુલૂસમાં લોકો હાથમાં તિરંગો લઈને નીકળ્યા હતા. જુલૂસમાં એક એમ્બ્યુલન્સ ફસાતાં લોકોએ રસ્તો આપ્યો હતો.

69 વર્ષ જૂના રિપોર્ટને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાનો હિસ્સો બનાવ્યો

પવન કુમાર - નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે અયોધ્યા ચુકાદામાં કમિશનરના એ રિપોર્ટને સ્થાન આપ્યું, જેના કારણે હિંદુઓને બીજી વાર મૂળ સ્થાને પૂજાપાઠની મંજૂરી મળી છે. હકીકતમાં 1949માં મુસલમાનોને નમાજ પઢતા જ નહોતા રોકાયા, પરંતુ હિંદુઓના પૂજાપાઠ પણ બંધ કરાયા હતા. જ્યારે ગોપાલ સિંહ વિશારદે 1950માં વિવાદિત સ્થળે પૂજાપાઠ માટે મૂર્તિઓ નહીં હટાવવાની માંગ કરી હતી. એટલે ફૈઝાબાદ કોર્ટે એક કમિશનર નિયુક્ત કર્યો. એ વખતે કોર્ટ કમિશનરે હિંદુ મુસ્લિમ બંને પક્ષની હાજરીમાં વિવાદિત સ્થળનો એક રિપોર્ટ બનાવ્યો હતો. તેના આધારે કોર્ટને આ વિવાદ સમજવામાં મદદ મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - peace in all 34 sensitive districts of up 063014


from Divya Bhaskar https://ift.tt/2qEOS2z
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here