
નવી દિલ્હી | સુપ્રીમકોર્ટે નીતીશ કટારા હત્યાકાંડમાં 17 વર્ષથી જેલમાં સજા કાપી રહેલા વિકાસ યાદવને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. વિકાસે જેલમાંથી ચાર અઠવાડિયાની રજા માંગવા અરજી કરી હતી. તેઓ સપાના પૂર્વ સાંસદ ડીપી યાદવના પુત્ર છે. આ મુદ્દે સોમવારે સુનવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, કોર્ટે તમને 25 વર્ષની સજા સંભળાવી છે, તે પૂરી કરો. બિઝનેસ એક્ઝિક્યુટિવ નીતીશ કટારાની 2002માં હત્યા થઈ હતી. તે વિકાસ યાદવના બહેન ભારતી યાદવના પ્રેમમાં હોવાથી આ કાવતરાને અંજામ અપાયો હતો. નીતીશનો મૃતદેહ ગાઝિયાબાદમાંથી મળ્યો હતો. આ કેસમાં કોર્ટે વિકાસ યાદવ, તેના પિતરાઈ વિશાલ યાદવને 25-25 વર્ષની જેલની સજા અને સુખદેવ પહલવાનને 20 વર્ષની સજા સંભળાવી હતી. આ ગુનો જૂઠી ઈજ્જત માટે કરાયેલી હત્યા ગણાવાયો હતો.


17 વર્ષથી જેલમાં બંધ વિકાસે 4 અઠવાડિયાની રજા માંગી હતી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે, ત્યાં સૈન્ય બાબતો મુદ્દે ચર્ચા કરશે
નવી દિલ્હી | સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મંગળવારથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ ત્યાં સેના અને સૈન્ય વ્યૂહ સહકાર મુદ્દે 19મી ભારત-રશિયા બેઠકમાં ભાગ લેશે. સંરક્ષણ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપતા કહ્યું કે, સંરક્ષણ મંત્રી રશિયન સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગૂને મળશે. રાજનાથ સિંહ રશિયાના ઉદ્યોગ અને વેપાર મંત્રી ડેનિસ માનતૂરોવ સાથે ભારત-રશિયા સંરક્ષણ ઉદ્યોગ સહકાર સંમેલનનું પણ ઉદઘાટન કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oLOoHj
via
IFTTT
No comments:
Post a Comment