
આજે અભિનેતા સોહરાબ મોદી, જહાંગીર રુસ્તમ કામા અને ફ્રાન્સની રાણી આન્ત્વાઈનનો જન્મદિવસ તથા જ્હોન મથાઈ અને જ્યોર્જ બર્નાડ શૉની પુણ્યતિથિ છે. માતા-પિતાના 11મા બાળક તરીકે જન્મેલા સોહરાબ મોદીના પિતા મધ્યપ્રદેશના રામપુરના નવાબના સુપરિન્ટન્ડેન્ટ હતા. બચપણથી જ અભિનયનો શોખ ધરાવતા સોહરાબ મોદી 1914માં મુંબઈથી મેટ્રિક થઇ પારસી થિયેટરમાં સક્રિય થયા હતા. નાટક કંપનીમાં કામ કર્યું, આર્ય સુબોધ થિયેટ્રિકલ કંપનીની સ્થાપના કરી. 1935માં સ્ટેજ કંપની દ્વારા ખૂન કા ખૂન નામની ફિલ્મનું નિર્માણ-દિગ્દર્શન કર્યું હતું. મિનરવા મુવિટોન નામની ફિલ્મ કંપની બનાવી. તેના નેજા નીચે 37થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. પુકાર યાને દિ ગ્રેટ મુઘલ સોહરાબ મોદીની સીમાસ્તંભ ફિલ્મ હતી. સોહરાબ મોદી અભિવ્યક્તિ અને કંઠને અભિનયકળાના બે મહત્ત્વના સિદ્ધાંતો માનતા હતા. તેમની સિકંદર ફિલ્મ પર સ્વતંત્રતા આંદોલન દરમિયાન અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. સોહરાબ મોદીની ફિલ્મોમાં ઐતિહાસિક અને ધાર્મિક ફિલ્મોનું પ્રમાણ વધુ હતું. 1980માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નિષ્ઠાવાન, પ્રેમાળ આ અભિનેતાનું 28 જાન્યુઆરી 1984એ અવસાન થયું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oCJSL9
via
IFTTT
No comments:
Post a Comment