
આજે મજૂર નેતા, ફેબિયન સમાજવાદી વિચારક અને સ્વતંત્રતા સૈનિક અનસૂયાબેન સારાભાઇ, નાનાભાઈ ભટ્ટ, મૌલાના આઝાદ, અર્થશાસ્ત્રી આઈ.જી.પટેલ અને કોમેડિયન જ્હોની વોકરનો જન્મદિવસ તથા સાહિત્યકાર મંજુલાલ મજમુદારની પુણ્યતિથિ છે. અમદાવાદના પ્રસિદ્ધ મિલમાલિક સારાભાઇ પરિવારમાં જન્મેલાં અનસૂયાબેને 9 વર્ષની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. 1912માં તબીબી શિક્ષણ લેવા બ્રિટન ગયાં તેમાં જીવ હિંસા થતી હોવાથી મેડિકલનું ભણવાનું માંડી વાળ્યું હતું. પણ ઇંગ્લેન્ડ નિવાસ દરમિયાન ત્યાં પ્રચલિત ફેબિયન સમાજવાદની ગાઢ અસર અનસુયાબેન સારાભાઈ પર પડી હતી અને તેનો પરિચય અમદાવાદ નગરની મિલમજૂર પ્રવૃત્તિઓમાં દેખાયો હતો. મિલમજૂર પરિવારના હોવા છતાં 1917-18માં અમદાવાદના મિલમજૂરોએ પાડેલી હડતાલમાં અનસૂયાબેને મજૂરોનું નેતૃત્વ લીધું હતું. ગાંધીજીના સહયોગથી ચાલેલી આ હડતાલ પછી મજૂરોના વ્યાજબી હક્કોની પૂર્તિ થઇ હતી. અનસૂયાબેન મિલ મજૂરોના હક્કો ઉપરાંત મજૂર બાળકોના અભ્યાસ માટે પણ સક્રિય રહ્યાં હતાં. તેમણે 1914માં અમદાવાદમાં અમરાપુરમાં મજૂર બાળકો માટે શાળાની સ્થાપના કરી હતી.11 સપ્ટેમ્બર 1958એ તેમનું અવસાન થયું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CwCJPT
via
IFTTT
No comments:
Post a Comment