ગોકુલધામ પાછળ આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં ક્રિષ્ના આર્કેડ એપાર્ટમેન્ટમાં રહેતા અને સેલ્સમેનનું કામ કરતા નીતિનભાઇ ભીખુભાઇ મહેતા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, કંપનીના કામે બહારગામ ગયા હતા. જ્યાં દિવાળીના તહેવારની રજામાં પત્ની, બાળકો પિયર ગયા હતા. દરમિયાન તા.4ની સવારે 11 વાગ્યાથી સાંજના 6.45 વચ્ચેના સમયમાં તસ્કર દરવાજાના લોક ખોલી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશેલા તસ્કરે ઘરમાં રહેલા કબાટની તિજોરીમાંથી રૂ.1,18,600ની કિંમતના સોનાના ઘરેણાં તેમજ રૂ.60 હજારની રોકડ મળી કુલ રૂ.1,78,600ની માલમતા ચોરી ગયા હતા. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસના પીએસઆઇ જે.એસ.ચંપાવત સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા. ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાની શંકાએ વિસ્તારમાં લગાડેલા સીસીટીવી કેમેરા તપાસવાની કાર્યવાહી કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PPVxl2
via IFTTT
No comments:
Post a Comment