SOU ખાતે દિવાળીમાં 5 લાખ પ્રવાસીઓ આવે તેવો અંદાજ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

SOU ખાતે દિવાળીમાં 5 લાખ પ્રવાસીઓ આવે તેવો અંદાજ

દિવાળીનું વેકેશન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ સૌથી વધુ આવતા હોય વળી 31મી ઓક્ટોબરે એકતા દિવસની ભવ્ય ઉજવણી થવાની હોવાથી તંત્ર સજ્જ થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધની મુલાકાતે છેલ્લાં 25 દિવસમાં 1.85 લાખ પ્રવસીઓ આવ્યા છે. જ્યારે આ દિવાળી વેકેશનમાં 5 લાખ પ્રવાસીઓ ઉમટી પડે તેવા લક્ષ્યાંક સાથે તમામ સુવિધાઓને પહોંચી વળવા તંત્રએ કમર કસી છે. ગુજરાતીઓ માટે કામકાજમાંથી મુક્ત થઈ હરવાફરવાની મોસમ આવી ગઈ છે. નર્મદા જીલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. ત્યારે 1 વર્ષમાં નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 27 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. કુદરતી સૌંદર્યની ભેટ ધરાવતો જીલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં પણ હોટ ફેવરીટ બની રહશે. પ્રદુષણ મુક્ત વાતાવરણ અને સાતપુડાની ગીરી કંદરાઓ વચ્ચે બનાવાયેલા સરદાર સરોવર નર્મદા ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ સ્વચ્છ હવા અને કુદરતી વાતાવરણના આનંદની અનુભૂતિ કરતા હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - diwali is estimated at 5 million tourists at sou 063017


from Divya Bhaskar https://ift.tt/2MPDTMp
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here