બેંક કર્મીએ ભૂલથી બીજાના ખાતામાં 3.09 લાખ રૂપિયા જમા કરી દીધા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

બેંક કર્મીએ ભૂલથી બીજાના ખાતામાં 3.09 લાખ રૂપિયા જમા કરી દીધા

સહારા દરવાજા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એક ખાતેદારે 309723 રૂપિયાના કુલ ત્રણ ચેક ડિપોઝિટ કરવા જમા કરાવ્યા હતા. બેંકના કર્મચારીના ભુલથી તે રૂપિયા બીજાના ખાતામાં જમા થઈ ગયા હતા. જેના ખાતામાં રૂપિયા જમા થયા તે ખાતેદાર 308750 રૂપિયા ઉપાડીને નાસી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સહારા દરવાજા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં શ્રી સાલાસર ટેક્સટાઈલનું ખાતું છે. આ ખાતેદારના કર્મચારીએ ત્રણ ચેક 21 ઓક્ટોબરના રોજ બેંકમાં જમા કર્યા હતા. ત્રણેક ચેકમાં કુલ 309723 રૂપિયાનો ઉલ્લેખ હતો. આ રૂપિયા શ્રી સાલાસર ટેક્સટાઈલમાં જમા થયા નહતા. તેથી બેંકમાં તપાસ કરતા બેંકના જ કોઈ કર્મચારીના ભુલના કારણે આ રૂપિયા ટેક્સટાઈલના ખાતામાં જમા ન થતા અન્ય ખાતેદાર રીસીદેવ કુમાર બેચન રાયના ખાતામાં જમા થયા હતા. રીસીદેવે તરત જ 308750 રૂપિયા ઉપાડી લીધા હતા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Pv735p
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here