મનનો દીવો જ્યારે બુઝાવા લાગે તો તેમાં વિચારોનું ઘી સત્વરે પૂરો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

મનનો દીવો જ્યારે બુઝાવા લાગે તો તેમાં વિચારોનું ઘી સત્વરે પૂરો

आપણે માત્ર બે દિવસ જ દિવાળી નથી મનાવવી પણ આજીવન દિવાળી મનાવવાની છે.આપણી આ માન્યતા છે કે દિવાળીના દિવસે ઘરના દરવાજા અને બારીઓને ખુલ્લા રાખીએ છીએ, જેનાથી લક્ષ્મી અંદર આવી શકે.ક્યારેક આપણે વિચાર્યું છે કે દરવાજા અને બારીઓને ખુલ્લા રાખવાથી લક્ષ્મી અંદર કેવી રીતે આવશે? આપણે આપણા મનના દ્વાર અને બારીઓને ખોલવાના છે, જેનાથી પરમાત્માનું સત્ય જ્ઞાન આપણી અંદર ઊતરી શકે, જો એવું થયું તો લક્ષ્મીનું આહવાન આપોઆપ થઇ જશે. આપણે દરેક તહેવારને બાહ્ય રૂપથી મનાવવા લાગ્યા છીએ જ્યારે દરેક તહેવાર આપણને કશું શીખવાડવા માટે આવ્યો હતો. પણ આપણે તો માત્ર તેના બાહ્ય સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગયા. દિવાળી પર આપણે એક દીપકથી બીજો દીપક પ્રગટાવીએ છીએ, પછી બીજાથી ત્રીજો ,આમ દીપમાળા બની જાય છે. જો એક દીવો બુઝાઇ જાય છે તો બીજો દીવો પણ ઓલવાઇ જાય છે. ઘરમાં ઓલવાયેલા દીવા એક સાથે રહે છે, તો ઘરમાં અંદરોઅંદર ઝઘડતા હરે છે. દીપ પ્રગટાવવું શુભ મનાય છે. કહેવાય છે કે ઘરમાં દીપક પ્રજવલ્લિત હોય તો તેને અર્થ થયો કે શુભ છે.જો દીપ બુઝાઇ ગયો તો અશુભ થાય છે. દીપકનો અર્થ પ્રકાશ આપનાર, એટલે આપણે આપતા રહેવાનું છે. કળિયુગમાં લેવાની અને માત્ર લેવાની જ ભાવના હોવાથી, આ સમય દીપ ઓલવાઇ ગયો છે. જ્યારે વાત માત્ર લેવાની જ થશે તો દીવો બુઝાઇ જશે. જીવનને અશુભથી શુભ બનાવવું હોય તો દીવો પ્રગટાવવો જરૂરી છે, એટલે કે પ્રેમ, સન્માન અને વિશ્વાસ આપવાનો છે.લક્ષ્મી કાયમ આપવાની મુદ્રામાં ઊભી હોય છે.તે આપે છે માટે તેમને દેવી-દેવતા કહેવાય છે. જો લક્ષ્મીનું આહવાન કરવું છે તો દીવો પ્રગટાવવો પડે છે. દીપ જો બુઝાવાનો હોય તો આપણે તેમાં જલદી ઘી પૂરીએ છીએ. એટલે કે મન જો એક પણ આવો વિચાર પેદા કરે કે , તેણે મને સન્માન ન આપ્યું તો ફટાફટ જ્ઞાનનું ઘી તેમાં પૂરો,કહો કે મને કશું નથી જોઇતું, મારે તો પાછું આપવું છે. અએક દિવસમાં એક વિચાર પેદા કરો કે આપણને કોઇની પાસેથી કશું જોઇતું નથી તો દસ દિવસના અંદર મનનું પ્રોગ્રામિંગ બદલાઇ જશે.જ્યારે જિંદગી જીવવાનો પ્રકાર છે કે ‘જોઇએ’નું લિસ્ટ ક્યારેય પુરુ નહીં થાય.જો માંગનાર તરફ ઊભો હશે ત્યાં લક્ષ્મી નથી આવતી. જેના જીવનમાં સમૃદ્ધિ હોય છે તે માંગતો નથી તે આપે છે. લક્ષ્મી સમૃદ્ધિની દેવી છે. હોજ તમારે કહેવું રહ્યું કે મારે કોઇની પાસેથી, અહીં સુધી કે પોતાના બાળકો પાસેથી પણ કશું જોઇતું નથી. જેને કશું ન જોઇએ તે કાયમ ખુશ રહેશે.કશુંક જોઇએ અને ન મળે તો આપણે દુ:ખી થઇએ છીએ.જ્યારે દુ:ખી થઇએ છીએ તો બીજાથી નારાજ થઇ જઇએ છીએ.કોઇની પાસે આશા રાખવી નહીં. જ્યારે આપણે એવું કરીશું તો માત્ર આપણા જીવન અથવા ઘરમાં જ નહીં પણ સમગ્ર સૃષ્ટિમાં દિવાળી આવશે.દિવાળી એટલે નવું વર્ષ.મીઠાઇ ખાધી અને જુની બધી વાતો ખતમ તો નવું વર્ષ. કહે છે કે ચાર દિનકી દિવાલી હૈ એટલે ક્ષણિક ખુશી છે.દિવાળી ચાર દિવસની નહીં પણ જીવનભર જ દિવાળી મનાવવી છે.



મનનો અવાજ

બી.કે.શિવાની, બ્રહ્માકુમારીઝ

awakeningwithbks@gmail.com



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - when the lamp of the mind starts to extinguish it can be filled with ideas 063021


from Divya Bhaskar https://ift.tt/2qJwVjn
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here