જીવનમાં ઉત્સાહ જ સમૃદ્ધિનું કારણ છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

જીવનમાં ઉત્સાહ જ સમૃદ્ધિનું કારણ છે

કાલ લક્ષ્મીપૂજનના દિવસે લક્ષ્મીને પ્રાપ્ત કરવાની મહેચ્છા વાળા, તેની પાછળ ભાગનારા, બીજાની લક્ષ્મી પડાવનારા અને લક્ષ્મીને જ બધુ સમજનારા જેટલા પણ લક્ષ્મીજીના બાળકો છે, એક વાત મગજમાં રાખે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે કાલે વર્ષનો 300મો દિવસ છે. 65 દિવસ હજુ બાકી છે. બચેલા 65 દિવસમોમાં કાલના દિવસનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે?દિવાળી પૂજનમાં તેને પણ સામેલ કરવો રહ્યો.હાલ દેશમાં સમગ્ર વાતાવરણ આર્થિક દૃષ્ટિએ હતપ્રભ છે, અને ઘણા અંશે નિરાશામાં ડૂબેલો છે. બજારની સ્થિતિ સારી નથી. હવે બજાર બેસસી ગયું છે,ધંધા ચાલી નથી રહ્યા, તેની વ્યાખ્યા કરવી એ આપણે વિષય નથી,પણ એક કથા આપણા માટે ખૂબ કામની છે જેમાં એક રાજા પોતાની સંપત્તિ બરબાદ થયા બાદ પરેશાન થઇને ગાર્ગી ઋષિના આશ્રમ પહોંચ્યો અને કહ્યું-મારું બધુ લૂંટાઇ ગયું, ખૂબ હેરાન છું.ઋષિએ કહ્યું-યદ્યં ત્યજ્યતાં ચિંતા પુરષાર્થ વિનાશિની. ચિંતા પુરુષનો વિનાશ કરે છે,માટે તેને ત્યાગો.પછી કહ્યું -અનિર્વેદ શ્રીયો મૂલં નિર્વેદ: પરમ સુખમ. એટલે કે નિરાશ ન થઇને ઉત્સાહને બનાવી રાખવું જ સમૃદ્ધિનું કારણ છે. તો આ વખતે દિવાળી પર સંકલ્પ લો કે જેવું પણ વાતાવરણ હોય, ઉત્સાહ બનાવી રાખીશું. દિવસો બધાના બદલાય છે. આજ જે છે , કાલ નહીં હોય. પણ , કાલ જ્યારે સારો સમય આવે, ત્યાં સુધી ક્યાંક પોતાનું આરોગ્ય, જીવન, પોતાનું પરિવાર ખોઇ ન બેસતા.ઋષિના વાત મંત્ર રૂપે ચોક્કસ સામેલ કરવાનું રાખજો.

જીને કી રાહ

પં. વિજયશંકર મહેતા

humarehanuman@gmail.com



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - enthusiasm in life is the cause of prosperity 063025


from Divya Bhaskar https://ift.tt/2pQzvDQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here