
છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યિલ મીડિયામાં એલઆઈસી બંધ થવાના મેસેજ ફરતા થયા હતા. પરિણામે કંપનીના પોલિસી હોલ્ડરોમાં ખોટો મેસેજ ન જાય તે માટે એલઆઈસીએ ગુરૂવારે સ્પષ્ટતા કરી સોશ્યિલ મીડિયામાં ફરતા મેસેજ અફવા હોવાનું જણાવ્યું હતું. ખોટા મેસેજથી સુરત સહિત દ. ગુજરાતના લાખો પોલિસી હોલ્ડરોમાં ગભરાટ ફેલાયો હતો. પોતાના પોલિસી હોલ્ડરોમાં ખોટો મેસેજ ન જાય તે માટે કંપનીએ આખરે સ્પષ્ટતા કરી આ બધા સમાચાર ખોટા હોવાની સાથે કંપનીની આર્થિક સ્થિતિ સારી હોવાની જણાવ્યું હતું.
આ અંગે કંપનીના પીઆરઓ નિલય જોખાકરના જણાવ્યાનુસાર, કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે કેટલાક લોકોએ આવી અફવા ફેલાવી છે, આ અફવાઓથી ગભરાવાની જરૂર નથી અને કંપનીની આર્થિક સ્થિતિ ઘણી સારી છે. મંદીની સ્થિતિ બતાવવા માટે કેટલાક ટીખળખોરો દ્વારા કેટલીક બેંકો કાચી પડવાની હોવાના મેસેજ પણ થોડા દિવસ પહેલા સોશ્યલ મિડીયામાં વાયરલ કરાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Vz2zeV
via
IFTTT
No comments:
Post a Comment