...અનુસંધાન પાના નં. 6
આ અંગે બોલાવાયેલી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્રે તેના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 9%થી વધારીને 12% કર્યું હતું. કેન્દ્ર સરકારના કુલ કર્મચારીઓની સંખ્યા 49.93 લાખ છે, જ્યારે 65.26 લાખ પેન્શનર છે. મોંઘવારી ભથ્થાંમાં દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈને સુધારા કરાય છે.
પીઓકેના તમામ 5300 વિસ્થાપિત પરિવારને રૂ. 5.5નું વળતર
કેન્દ્ર સરકારે પીઓકેમાંથી વિસ્થાપિત 5300 પરિવારના પુનર્વસન માટે દરેકને રૂ. 5.5 લાખનું વળતર આપવાનો પણ નિર્ણય કર્યો છે. પીઓકેમાંથી આવ્યા પછી આ પરિવાર શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરની બહાર જઈને વસ્યા હતા, પરંતુ બાદમાં રાજ્યમાં પરત ફર્યા હતા. જાવડેકરે કહ્યું કે, આ પરિવારો સાથે થયેલી ઐતિહાસિક ભૂલ સુધારવા આ નિર્ણય કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં પીઓકેના એ પરિવારો માટે પુનર્વસન પેકેજની જાહેરાત કરી હતી, જે ભાગલા પછી સમયાંતરે જમ્મુ કાશ્મીરમાં આવીને વસ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં વસેલા 36,384 પરિવારને આ વળતર મળી ચૂક્યું છે. શરૂઆતમાં રાજ્યમાંથી બહાર વસ્યા પછી જમ્મુ કાશ્મીર પરત ફરનારા 5300 પરિવાર આ પેકેજનો લાભ નહોતા લઈ શક્યા. એટલે તેમને આ યોજનામાં સામેલ કરાયા છે.
કિસાન સન્માન નિધિને આધાર સાથે જોડવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ
સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાંથી ખેડૂતોને મળનારી સહાયને આધાર સાથે જોડવાની સમયમર્યાદા 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. તેનાથી ખેડૂતોને આ રકમનો ત્રીજો હપ્તો મળી શકશે. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે રૂ. 6 હજાર અપાય છે. આ યોજનાના બીજા હપ્તામાં આધાર અનિવાર્ય કરવાથી મોટા ભાગના ખેડૂતોને લાભ મળવામાં મુશ્કેલી પડી હતી.
સેન્સેક્સ: વર્ષનો છઠ્ઠો સૌથી મોટો ઉછાળો
37,628.05
બજાર ખૂલ્યુ
11.00 વાગે
38,177.95
બંધ
645.97
નિફ્ટી 11.313.30  187
1.00 વાગે
3.00 વાગે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Oyx5UB
via IFTTT
No comments:
Post a Comment