મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બેઠકો અને વોટશેરના નુકસાન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 24, 2019

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બેઠકો અને વોટશેરના નુકસાન


મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બેઠકો અને વોટશેરના નુકસાન થતાં ભાજપની દિવાળી ઊજવાશે. 5 મહિના પહેલા લોકસભાની ચૂંટણીની તુલનામાં ભાજપનો વોટશેર હરિયાણામાં 23.29 ટકા અને મહારાષ્ટ્રમાં બે ટકા ઘટ્યો છે. બીજીબાજુ 2014ની વિધાનસભા ચૂંટણીની તુલનાએ હરિયાણામાં ભાજપની 7 જ્યારે મહારાષ્ટ્રમાં એનડીએની 26 બેઠક ઘટી છે. હરિયાણામાં ભાજપના કુલ 10માંથી 8 મંત્રી હારી ગયા છે.

...અનુસંધાન પાના નં. 6





ભાજપની લાજ શહેરોએ બચાવી છે. ભાજપને 26 શહેરી બેઠકમાંથી 17 બેઠક મળી છે. મહારાષ્ટ્રમાં 7 મંત્રી અને ડેપ્યુટી સ્પીકર હારી ગયા છે. પરિણામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેવેન્દ્ર અને મનોહર પ્રથમવાર સીએમ બન્યા હતા છતાં પણ બંનેએ સરસ રીતે સરકાર ચલાવી.

તેમના નેતૃત્ત્વમાં આગામી પાંચ વર્ષ પણ મહત્ત્વના રહેશે. બીજીબાજુ કોંગ્રેસની રાહુલ પછી પ્રથમ ચૂંટણી હતી, પરિણામને કારણે પક્ષ ફરી ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના સ્થાપક ફેમિલીમાંથી પ્રથમવાર આદિત્ય ઠાકરે ચૂંટણી લડ્યા હતા અને તેમનો વરલી બેઠક પરથી 67,427 મતે વિજય થયો હતો. હરિયાણામાં ટીકટોક સેલિબ્રિટી સોનાલી ફોગટ, પહેલવાન બબિતા ફોગટ, યોગેશ્વર દત્ત ચૂંટણી હારી ગયા છે. હોકી ખેલાડી સંદીપસિંહનો વિજય થયો છે.

કોંગ્રેસે આ વખતે ચૂંટણીને મોદી વિરુદ્ધ રાહુલ બનતી અટકાવીને બેઠકોમાં વધારો કર્યો

કોંગ્રેસ સ્થાનિક મુદ્દા પર ટકી રહી. જ્યારે ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દે લડતું રહ્યું. પણ હરિયાણામાં કોંગ્રેસ, જેજેપીને ફાયદો થયો. કોંગ્રેસ આ ટક્કરને ખટ્ટર વિરુદ્ધ હુડા બનાવી રાખવામાં સફળ રહી. મોદી વિરુદ્ધ રાહુલનો જંગ બનવા ના દીધો. માત્ર રાષ્ટ્રવાદના નામે ભાજપે મત માંગ્યા. આથી પણ તેની બેઠક ઘટી. જાટ ભાજપની વિરુદ્ધ હોવાની પણ અસર જોવા મળી.

શિવસેના અઢી વર્ષ પોતાના અને અઢી વર્ષ ભાજપના મુખ્યમંત્રી બને તેમ ઈચ્છે છે

મહારાષ્ટ્રમાં ભાજપ પોતાની તાકાત પર સરકાર બનાવી શકશે નહીં. શિવસેનાએ સ્પષ્ટ કહ્યું છે કે 50-50ની ફોર્મ્યુલા અંગે કોઈ સમજૂતી નહીં થાય. એટલે કે અડધા મંત્રી તેના હશે. હવે એવું કહેવાય છે કે શિવસેના આ ફોર્મ્યુલાના આધારે અઢી વર્ષ પોતાના અને અઢી વર્ષ ભાજપના સીએમ બને તેમ ઈચ્છે છે. જો આ શક્ય બનશે તો પ્રથમ સીએમ પણ શિવસેનાનો માંગશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MMGbvU
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here