ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના જોઇન્ટ ડાયરેક્ટર ડો.મહેન્દ્ર ભટ્ટે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે અધ્યાપકોની ભરતી કરાઇ છે તેના ડોક્યુમેન્ટ ફરી ચકાસવામાં આવે છે અને હાલમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં અધ્યાપકોના પગાર સિવાયના કોલેજમાં નવી ભરતીના એનઓસીના કેમ્પ, પ્રમોશનના કેમ્પ તથા પ્રિન્સિપાલોની ભરતી સહિતની કામગીરી ચાલતી હોવાથી હું બે-ત્રણ મહિનાથી બહાર હતો. તેમજ હજુ સુધી મારા સુધી 10થી પણ ઓછી ફાઇલ વહીવટી મંજૂરી માટે આવી છે. અમારી કચેરી પાસે કામગીરીનું ભારણ વધુ હોય અને એક અધિકારી એકલો કેટલું કામ કરે, તેથી અધ્યાપકોને વહીવટી મંજૂરી અને પગાર ચૂકવવાની કામગીરીમાં હજુ બે થી ત્રણ મહિના લાગી જશે. જોઇન્ટ ડાયરેક્ટર ભટ્ટે પગાર થવામાં હજુ પણ બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે તેમ જણાવતા અનેક અધ્યાપકોના પરિવારની હાલત કફોડી બની છે.
ઓનલાઇન ડી.પી.પોર્ટલ ટેક્નિકલ કારણોસર બંધ થતા ગ્રાન્ટેડ કોલેજોના આચાર્યોને જે કર્મચારીઓના પગાર બંધ કરવાના છે તેની અને જે કર્મચારીઓના પગાર ચાલુ કરવાના છે તેની વિગતો પણ મેન્યુઅલ બનાવી આધાર પુરાવા સાથે મોકલવા નાયબ નિયામકની યાદીમાં જણાવાયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31PcrDo
via IFTTT
No comments:
Post a Comment