
મયની સાથે સમાજ બદલાયો છે. વિચાર અને સમજ પણ. આ બદલાતા વિચાર અને સમજ મુજબ કાયદામાં પણ પરિવર્તન થતું રહ્યું છે. તર્ક અને અનુભવને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા પણ થયા. હાલમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગે સંરક્ષતા અધિનિયમ અંગે કેટલાક પરિવર્તનનું સૂચન મહિલા અને બાળવિકાસ મંત્રાલયને મોકલ્યું છે. આ સૂચન હિન્દુ સંરક્ષતા અધિનિયમ 1956 અને સંરક્ષક પ્રતિપાલ્ય અધિનિયમ 1980 સંબંધિત છે. સૂચનમાં મહિલા આયોગે કહ્યું છે કે કોઈપણ રીતે સંતાન ગેરકાયદે છે એ કહેવું ખોટું છે. લગ્ન પહેલા, લગ્ન પછી કે લગ્ન બહારના સંબંધોને કારણે જન્મેલા તમામ સંતાન બરાબર છે અને તેમને કાયદામાં સમાન દરજ્જો આપવો જોઈએ. કોઈ બાળક જન્મતા પહેલા તેના માતા-પિતા કે તેના સંબંધ અંગેનો નિર્ણય કરી શકતું નથી. તો પછી તેને ગેરકાયદે કે કાયદેસરનું કહેવું કેટલું તાર્કિક છે? મહિલા આયોગે 1956ના કાયદામાં કલમ-6બીમાંથી ગેરકાયદે શબ્દ હટાવવા કહ્યું હતું. તેની જરૂરિયાત એટલા માટે છે કે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ દેશમાં 4.5 ટકા ઘર સિંગલ મધર દ્વારા ચલાવાય છે. એકલી માતા દ્વારા પરિવાર ચલાવનારાની આ સંખ્યા 1.3 કરોડ છે. મહિલા આયોગની માંગ તો નૈસર્ગિક સુરક્ષાની વ્યાખ્યા બદલવાની પણ છે. પરંતુ તેને બદલીને પિતા કે માતા કરવાનો તર્ક મહિલા આયોગે આપ્યો છે. આ છૂટાછેડા કે દુષ્કર્મ પીડિત મહિલાઓના બાળકો માટે ઘણું અગત્યનું છે. આજે પણ સમાજ કમનસીબે પિતાના અધિકારોને જ મહત્ત્વ અાપે છે. હાલના દિવસોમાં બાળકોનો ઉછેર અને સુરક્ષાની લડાઈ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. આથી આશ્ચર્ય પણ થાય છે. આયોગે તો નૈસર્ગિક સંરક્ષક દ્વારા દત્તક લેવાયેલા પાલક અને દાદા-દાદી, નાના-નાનીને પણ જોડવાનું પણ સૂચન કર્યું હતું. જેથી જવાબદારી અને હકના વ્યાપ વધુ વિસ્તૃત બને. કાયદાથી મહિલા પુરુષ વચ્ચેનો ભેદભાવ ઓછો કરવા માટે અને તેના દ્વારા અડધી વસ્તીને પૂરી શક્તિ આપવા માટે આ પરિવર્તન મુખ્ય છે. આથી જ કાયદો પોતાનો વ્યાપ મહિલાઓના હકમાં વધુ વધારી શકે અને હાલના સમાજ મુજબ આધુનિક બનાવી શકાય. આશા એટલી જ છે કે આ સૂચનને ઝડપથી કાયદામાં પરિવર્તિત થતાં જોઈ શકીએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/331S8mw
via
IFTTT
No comments:
Post a Comment