બેંગ્લુરુઃ કોંગ્રેસના એક આંતરિક રિપોર્ટમાં કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પરાજય માટે વંશવાદી રાજકારણ અને જેડીએસ સાથેના જોડાણને જવાબદાર ઠેરવાયું છે. લોકસભા ચૂંટણી દરમિયાનકર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની મોરચા સરકાર સત્તા પર હતી. કોંગ્રેસ રાજ્યની 28 બેઠકમાંથી માત્ર એક બેઠક જ જીતી શકી છે. કોંગ્રેસનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસમહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ઝઝૂમી રહી છે.
ઘણા જિલ્લામાં જોડાણ નિષ્ફળ રહ્યું
રિપોર્ટ અનુસાર 2018ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવાયેલા ઘણા ઉમેદવારો સાંસદો અને ધારાસભ્યોના સંતાનો હતા. મતદારોને કદાચ આ પસંદ પડ્યું નહોતું. કર્ણાટક કોંગ્રેસનાપ્રદેશ પ્રમુખ દિનેશ ગુંડુરાવ માને છે કે લોકો એવું માને છે કે ટિકિટ આપતા સમયે કોઈની સાથેના સંબંધને યોગ્યતા ગણવી જોઈએ નહીં. આ રિપોર્ટ તૈયાર કરતા સમયે જિલ્લા અનેતાલુકાસ્તરના કાર્યકરો સાથે પણ વાતચીત કરાઈ હતી. ઘણા જિલ્લામાં એવું પણ હતું કે જેડીએસ સાથેનું જોડાણ નિષ્ફળ રહ્યું છે. આથી તેમને આપણી સાથે જોડવા જોઈએ નહીં. સોશિયલમીડિયાની વ્યૂહરચના પણ સફળ પૂરવાર નહીં થઈ હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30Q7Bo4
via IFTTT
No comments:
Post a Comment