
રાવણ કેટલો મોટો કૂટનીતિજ્ઞ હતો કે ત્રેતાથી આ યુગ સુધી દરેક વખતે, દરેક સમયે, દરેક પ્રસંગે તેને મારનારા પણ તેની લંકા ન સળગાવી શક્યા. હવે તમે કહેશો કે લંકા તો હનુમાનજી સળગાવી આવ્યા હતા. તેના જવાબમાં હું ફરી પૂછીશ કે જો લંકા હનુમાનજી સળગાવી આવ્યા હતા તો રાજતિલકમાં વિભીષણને રામે કઇ લંકા સોંપી હતી? સળગી ગયેલી કે મરામત કરાવેલી? બન્ને સવાલનો એક જ જવાબ છે. બહુ સીધો અને સરળ... કે તાપમાં સોનું સળગતું નથી પણ તેનામાં વધુ નિખાર આવે છે.
પરિણામ જુઓ- દરેક વ્યક્તિ પાસે આજે પણ પોતાની લંકા છે. સોના જેવી સુહાની. સરકારો પાસે પોતાના દંભની લંકા. મંત્રીઓ પાસે પોતાના અહંની લંકા. કોઇની પાસે ધનની લંકા. કોઇની પાસે આચરણની લંકા, કોઇની પાસે ભ્રષ્ટાચારની લંકા. બધા રાવણને બાળે છે. તેની લંકા કોઇ બાળતું નથી.
ખેર, દશેરાના એક દિવસ અગાઉ હું શહેરના કેટલાક ખૂણામાં ગયો તો દરેક તરફ લંકા નજરે પડી. સેંકડોની સંખ્યામાં રાવણ ઊભેલા દેખાયા. જાણે પાક લહેરાતો હોય. દંભનો. અહંનો. મોહ-માયાનો.
પૂતળાઓથી સજેલી આ લંકાઓની ગંધ પણ અલગ જ હતી. સૂર્પણખાના કપાયેલા નાકમાંથી નીકળેલા લોહીની જેમ પણ, લાખ સમજાવવા છતાં પણ ન માનનારા રાવણનું કપાયેલું માથું જોઇને નીકળેલી મંદોદરીની ચીસની જેમ પણ અને હનુમાનજીના પૂંછડામાં લગાવાયેલી આગમાંથી નીકળતા ધુમાડાની જેમ પણ...
ખરેખર તો રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની પોતાની જુદી-જુદી વિશેષતાઓ હતી. રાવણની નાભિમાં અમૃતકુંભ હતો. કુંભકર્ણ છ મહિના સૂઇને એક દિવસ જાગતો હતો અને તે એક દિવસના એંધાણથી જ પૃથ્વી-પાતાળ કાંપતા હતા. મેઘનાદને એ જ મારી શકતો હતો કે જે 14 વર્ષ સુધી સૂતો ન હોય અને જેણે તેટલો જ સમય બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય. પરંતુ, આ લંકામાં જ્યાં આ બધા વેચાઇ રહ્યા હતા ત્યાં ત્રણેય વચ્ચે ઝાઝો ફરક નહોતો.
આપણી સામાજિક-આર્થિક વ્યવસ્થા જુઓ કે જે રાવણ વેચાતો નથી તેને બનાવનારા જ બાળી નાખે છે. આવું કેમ? પૂછતાં જવાબ મળ્યો કે જે વાંસમાંથી એક વાર રાવણ બની ગયો તે વાંસ પછી કોઇ ખરીદતું નથી કે કોઇ કામમાં પણ નથી લેતું.
વધુ વિચારો તો ખ્યાલ આવે છે કે આવો રાવણ બાળવો જ કેમ? ...અને એવો રાવણ બનાવવો પણ કેમ કે જે છેવટે બચીને આપણી જ મૂડી ફૂંકી મરાવે. અર્થતંત્ર આ ફાલતુ આડંબરોના કારણે જ ડગમગાય છે.
સુર્ખિયો સે આગે
કે


નેશનલ એડિટર,ડીબી ડિજિટલ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2M02y0o
via IFTTT
No comments:
Post a Comment