
ગ્લુરુમાં 28 સપ્ટેમ્બરે એક અનોખું નાટક રજૂ થયું, જેમાં ટેકનોલોજીનો પ્રયોગ કરાયો. સ્ટેજના પાછલા ભાગ પર એક પડદો હતો, જેની પર ફિલ્મ દર્શાવાઇ શકે છે. ‘અંતરિક્ષ સંચાર’એ વિજ્ઞાન ,કળા તેમજ કેટલીક અન્ય વિદ્યાઓનું ફ્યૂઝન રજુ કર્યું. અહીં સુધી તો થ્રી ડી ટેકનોલોજીનો પ્રયોગ પણ કરાયો. કળા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં કોઇ સીમા હોતી નથી.જ્યારે એક સદીનો અંતિમ દિવસ આવે છે અને રાતના બાર કલાકે આપણે બીજી સદીમાં પ્રવેશીએ છીએ, તો વિતેલી સદીની કેટલીક વાતો આગામી સદીમાં કાયમ રાથીને નવી સદીની પ્રવૃત્તિઓ મેળ ખાતી હોય છે. બદલાતી સદીઓની વચ્ચે દિવાલ પર લાગેલા કેલેન્ડરના પાના બદલી દેવાય છે. ઘડિયાળમાં પણ કાંટા ગોળ જ ફરે છે. મહાન ગણિતજ્ઞ રામાનુજનની માતા સીતા દેવી ભારતનાટ્યમમાં કુશળ હતી. તેમની નૃત્ય મુદ્રાઓને જોતી વખતે રામાનુજનના મનમાં અંતરિક્ષના રહસ્યો જાણવાની ઇચ્છા જાગી. નૃત્ય મૂદ્રાઓ શૂન્યમાં રેખા ચિત્ર બનાવે છે. ગણિતની શાખાઓ છે અંક ગણિત, બીજ ગણિત અને રેખા ગણિત.મનુષ્ય કલ્પના અંતરિક્ષથી પણ આગળ જઇ શકે છે.વિજ્ઞાનની દરેક શોધ પહેલા કલ્પના જ હોય છે. સતત પ્રયોગ દ્વારા કોઇ સત્ય સિદ્ધ કરાય છે. બાથ ટબમાં એક વિજ્ઞાનિકના મનમાં વિચાર આવ્યો અને તેે યૂરેકા યુરેકાની બૂમ પાડતો નિર્વસ્ત્ર જ પ્રયોગશાળામાં પહોંચી ગયા.મેડમ ક્યૂરી પ્રયોગ કરતા-કરતા,નિષ્ફળ થતાં થતાં નિરાશ થઇ ગઇ અને પ્રયોગ બંધ કરવાનું નક્કી કરી તે આરામ ખુર્શીમાં બેસી ગઇ.તેમની થાકેલી આંખોની પાંપણ પર નિંદ્રાનું રંગીન પતંગિયું બેસી ગયું. તેમણે ઊઠીને વિચાર કર્યો કે વધુ એક પ્રયાસ કરીએ. સફળતાએ તેમના મસ્તક પર ટકોરા માર્યા અને તે સફળ થયા. જે રીતે તમે પારાને હાથોમાં પકડી નથી શકતા, એ જ રીતે કલ્પના મુઠ્ઠીમાં બંધ ન થઇ શકે. કદાચ એટલે કંજૂસ વ્યક્તિ કલ્પના નથી કરી શકતા, કારણ કે તે સિક્કાથી ભરેલી મુઠ્ઠીને ખોલી નથી શકતા.બંધ મુઠ્ઠી મંદબુદ્ધિનું પ્રતિક છે.આ અનોખી પ્રસ્તુતિ મદુરાઇના એક મંદિરના પ્રાંગણમાં રજુ કરાઇ. પૂજા એ પ્રકારે પણ કરી શકાય છે. માયથોલોજીને ચૂંટણી પ્રચારનો એક ભાગ બનાવી દેવાયો છે ,પરંતુ તેનો પ્રોયગ વિજ્ઞાન સંદર્ભમાં પણ કરી શકાય છે. આમ 1895માં લુમિયર બંધુઓએ હરતી-ફરતી તસવીરો લેતા કેમેરાની શોધ કરી. તેમના પ્રદર્શનમાં દર્શકના રૂપમાં જોર્જ મેલિએ પણ હાજર હતા. તેમણે 1902માં ‘જર્ની ટૂ મૂન’નામની ફિલ્મ બનાવી. આ રીતે ફિલ્મનો સંબંધ વિજ્ઞાન ફેન્ટસીથી બન્યો અનો 1967માં સ્ટીવન સ્પિલબર્ગે અંતરિક્ષ ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું. તેમની ફિલ્મ ‘ઇટી’ એ વિદ્યાની એક માઇલસ્ટોન સાબિત થઇ.મહાન કલાકાર ઉદયશંકરને કલ્પના નામની ફિલ્મ બનાવી હતી,જેની કથા એક નૃત્ય કાર્યક્રમની આસપાસ ફરે છે, જેમાં ભારતની તમામ નૃત્ય શૈલીને રજુ કરાઇ હતી. ઉદયશંકરની અલમોડા સ્થિત નૃત્ય સ્કૂલમાં ફિલ્મકાર ગુરુદત્તે પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. દક્ષિણ ભારતમાં સૌથી વધુ મંદિર છે અને તેના પરિસરમાં સતત કાર્યક્રમો યોજાતા હોય છે. અેટલું જ નહીં પૂરા ભારતમાં સૌથી વધુ એકલ સિનેમાઘર પણ દક્ષિણ ભારતમાં છે. ભારતની પ્રાદેશીક સરકારો સિનેમાઘરોની સંખ્યા વધે તેવા પ્રયાસ નથી કરતી. એક નાની અમથી વાત એ છે કે બંદૂકનું લાયસન્સ પિતાના મૃત્યુ બાદ પુત્રના નામે થતું પરંતુ સિનેમાઘરના માલિકના મૃત્યુ બાદ લાયસન્સ બેકાર બને છે અને વારસને નવેસરથી પ્રયાસ કરવા પડે છે.ટીવી પર પ્રસ્તુત નૃત્ય પ્રતિયોગિતામાં ભાગ લેનાર વિચિત્ર રજુઆત કરે છે. નૃત્ય રજૂ કરનાર અેક્રોબેટ્સ કરે છે.
બેં
જયપ્રકાશ ચોક્સે
લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે
પરદે કે પીછે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2M59xVX
via
IFTTT
No comments:
Post a Comment