
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં રસ્તાના કામો અને મુદ્દત વધારાને લઇને ઠરાવો અટકાવી દેવાયા હતા. જેમાં હજુ સ્પષ્ટ જવાબો ન આવતા નવી બેઠક અંગે નિર્ણય લેવાયો નથી. કારોબારી સમિતિમાં અટકાયેલા ઠરાવો પસાર કરવા 15 દિવસ આપવામાં આવ્યા હતા. કારોબારી સમિતિની બેઠકમાં રસ્તા રિપેર કરવાના એજન્ડા, મુદ્દત વધારો કરવાની દરખાસ્તોનો કારોબારી સમિતિના સભ્યોએ વિરોધ કર્યો હતો. સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, ઠરાવોમાં ક્યા વિસ્તારનું કામ છે તેની ચોખવટ લખવામાં આવતી નથી. આ કારણે એક જ જગ્યાના કામના બબ્બે વખત બિલ બનાવી દેવાય છે. આ ઉપરાંત 2017માં જે કામો પૂરા થવાના હતા તેનો મુદ્દત વધારો અત્યારે માગવામાં આવી રહ્યો છે જેની ચોખવટ નથી થઇ. આ આક્ષેપો કરીને મોટાભાગના ઠરાવો અટકાવી દીધા હતા. જિલ્લા વિકાસ અધિકારી સમિતિના આ નિર્ણયથી અસહમત થયા હતા. અંતે એ નિર્ણય લેવાયો હતો કે, ઈજનેરો આ એજન્ડાની વિસ્તૃત માહિતી આપશે ત્યારબાદ 15 જ દિવસમાં કારોબારી બોલાવી ઠરાવ મંજૂર કરી દેવાશે. જોકે તેને 20 દિવસ કરતા વધુ સમય વીતી ગયો છે. કારોબારીના સભ્યોએ જણાવ્યું છે કે, ઈજનેરો હજુ પણ જવાબ આપી શક્યા નથી જવાબ આવ્યા બાદ જ ઠરાવ મંજૂર કરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30M9CSw
via
IFTTT
No comments:
Post a Comment