
યુનિ.માં ગણિતનો પ્રોફેસર અને જાણીતો વિજ્ઞાની બન્યો આ બાળક નામે મેઘનાથ સહા અને તેમનો આજે જન્મદિવસ છે. ઢાકા પાસે સીયોરોતલીમાં જન્મેલા મેઘનાથ જાણીતા વિજ્ઞાની પ્રફુલ્લચંદ્ર રોય અને જે.સી .બોઝના ગાઢ પ્રભાવમાં વૈજ્ઞાનિક સંશોધનો તરફ વળ્યા. સાપેક્ષતા અને કવાંટમ સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો તેમાંથી ગરમીના કારણે પરમાણુંઓના આયનીત થવાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. તેમણે શોધેલો સાઈકલોટ્રોનનો સિદ્ધાંત આરોગ્ય અને અન્ય ક્ષેત્રોમાં ઘણો ઉપયોગી પુરવાર થયો છે. 1920માં દેન સ્ટેલર સ્પેક્ટ્રમ અથવા તારકીય વર્ણક્રમની શોધ પછી સહા વિજ્ઞાનના ક્ષેત્રે જાણીતા બન્યા હતા.તેમનો આ સિદ્ધાંત ‘સહા સમીકરણ’ “તરીકે પ્રસિદ્ધ છે. તેમણે તારાઓ અને પરમાણુંનો પરસ્પર સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો.જે ભારતની વિશ્વને દેણ છે. મેઘનાથ સહાને ઈતિહાસ, પુરાતત્વ અને નદીઓના અભ્યાસમાં પણ ઊંડી રુચિ હતી, તેમના નદીઓ પરના ગંભીર અભ્યાસો પછી 1942માં બંગાળમાં નદી સંશોધન સંસ્થાન રચાયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35bMIr9
via IFTTT
No comments:
Post a Comment